My samachar.in:-જામનગર
જામનગરમાં શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 18 વર્ણના લોકોને જોડવા માટે તો સફળ રહી હતી, સાથોસાથ સર્વધર્મ સમભાવની મિશાલ પણ બની હતી.ભાગવત કથાના અંતિમ દિવસના રવિવારના સત્રની પૂણાર્હુતિ પછી કથા શ્રવણ માટે આવેલા શ્રોતાગણો માટે પ્રસાદ વિતરણની વ્યવસ્થા સંભાળવા માટે જામનગરના મુસ્લિમ સમુદાયના હોદ્દેદારો જોડાયા હતા અને સર્વ ધર્મ એકતાના દર્શન થયા હતા..
મુસ્લિમ સમાજના પૂર્વ કોર્પોરેટર કાસમ ખફી, જામનગર લઘુમતી મોરચાના પ્રભારી અને સર્વ સમાજમાં આગવું સ્થાન ધરાવતા ભુરાભાઈ ખફી, ઉપરાંત લઘુમતી સેલના પ્રમુખ ઉમર બ્લોચ, ભૂટ્ટાભાઈ, સબીર ભાઈ, અલુભાઈ પટેલ, સાજીદભાઈ જામ, સામાજિક કાર્યકર અનવર ભાઈ સંઘાર સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા અન્ય મુસ્લિમ ભાઈઓ પ્રસાદ વિતરણમાં સેવાદાર બન્યા હતા અને સર્વે શ્રોતાગણો માટેના પ્રસાદ વિતરણ ની સુંદર વ્યવસ્થા સંભાળી હતી. જેઓની સેવા નિહાળીને અનેક પ્રસાદ લેવા આવનારા ભક્તો ભાવવિભોર બન્યા હતા. તેમજ યજમાન પરિવારના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા તેમના પરિવારજનોએ મુસ્લિમ સમાજના સર્વે હોદેદારો સહિતના સેવાદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તમામને સન્માનિત પણ કરાયા હતા.