Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં સૌ પ્રથમ ઓમીક્રોન વોરીયન્ટ પોજીટીવ કેસ જામનગર શહેરમાં નોંધાયો છે, ત્યારે જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી એક-એક મુવમેન્ટ પર નજર રાખી અને વોરીયેન્ટનો જામનગરમાં વધુ ફેલાવો ના થાય તે માટે સતત સતર્ક રહી અને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે, ગઈકાલે કમિશનરે ખુદ પોતે પણ જે વિસ્તારમાં આ કેસ સામે આવ્યો ત્યાની જાત તપાસ કરી જરૂરી સૂચનાઓ આપી ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર તથા મેડીકલ ટીમને કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સુચનાઓ પણ આપી આજે કમિશનરે એક તાકીદની બેઠક બોલાવી અને કોરોનાના કેસોનો ફેલાવો વધુ ના થાય તે માટે અધિકારીઓને કેવા પગલાઓ લેવા તે અંગે અવગત કર્યા હતા,
જે બાદ આજે my samachar સાથેની સીધી વાતમાં કમિશનરે કહ્યું કે આ નવા પ્રકારનો વોરીયન્ટ છે, સરકારની આ અંગેની દર્દી અને તેના સંપર્કોમાં આવેલ લોકો માટે એક ગાઈડલાઈન બાદ સ્થાનિક તંત્ર માટે સરકારની જે નવી ગાઈડલાઈન્સ આવી તેના પરથી ગાઈડલાઈન્સ બનાવાઈ છે, અને તેના પર કામગીરી થઇ રહી છે, જેમાં દર્દી માટે અલગથી અલાયદા વોર્ડની વ્યવસ્થા કરાઈ છે.જે લોકો નજીકના સંપર્કોમાં હતા તેવોનો ટેસ્ટીંગ કરાવી અને હોમ આઇસોલેટ કરી અને સવાર સાંજ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તેમની મુલાકાત અને તપાસ કરવામાં આવી રહી છે,
વધુમાં લોકોને સંદેશ આપતા કમિશનરે કહ્યું કે માસ્ક પહેરવું જરૂરી છે.અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ આવનાર સમયમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે મનપાની એસ્ટેટની ટીમ પોલીસનો સહયોગ લઇ અને તેની સખ્તાઈથી અમલવારી કરાવાશે તો દરરોજ અંદાજે 700 થી 1000 જેટલા લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. અને ટેસ્ટીંગ માટેની ડોમ સહિતની વધુ વ્યવસ્થા પણ શરુ કરી દીધી છે.તો વેક્સીનમાં પણ જામનગર શહેરમાં પ્રથમ ડોઝ ડોઝ 99% જેટલા લોકોએ લઇ લીધો છે, જયારે 62,૦૦૦ જેટલા લોકો એવા સેકન્ડ ડોઝ લીધો નથી તેને તાકીદે બીજો ડોઝ લઇ સુરક્ષિત બનવા કમિશનરે અપીલ કરી છે.