Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં ક્યારે કોરોના સંક્રમણ અટકશે તે અંગે કોઈ ચોક્કસ કાઈ કહી શકે તેમ નથી ત્યારે દિવસે ને દિવસે પોજીટીવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. જામનગર શહેરમાં આજે 407 દર્દીઓ પોજીટીવ જયારે ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 353 ડીસ્ચાર્જ તો 9 ના મોત થયા છે, જયારે ગ્રામ્યમાં 314 કેસ પોજીટીવ છે સામે 262 દર્દીઓ ડીસ્ચાર્જ થયા અને 8 દર્દીઓના મોત થયા છે. આજે જામનગર જીલ્લામાં કુલ 721 પોજીટીવ કેસ સામે 615 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે અને 17 દર્દીઓના મોત થયા છે.