Mysamachar.in-અમદાવાદ:
ઠંડીમાં ઠુંઠવાઈ રહેલા ગુજરાતને થોડી રાહત આપતા સમાચાર હવામાન વિભાગ લઈને આવ્યું છે, હવામાન વિભાગને મતે આગામી દિવસોમાં ગુજરાતમાં લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ સામાન્ય ઠંડી રહેશે. બે દિવસ બાદ કડકડતી ઠંડીમાં લોકોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની દિશા બદલાતા 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. જેને લઈ હાડ થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે.સાથે જ હવામાન વિભાગે કહ્યું હતું કે હાલ કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી.