Mysamachar.in-જામનગર
વારંવાર આપણે જોયુ છે સાંભળ્યુ છે કાયદો વ્યવસ્થા જાળવવા તંત્ર નિષ્ફળ જાય કોઇ કુદરતી સંપતિનો સોથ વળતો હોય ત્યારે ઘણી વખત લોકો હિમત કરી આગળ આવે છે અને જનતા રેડ કરે છે જોડીયા તાલુકાના આણંદામા ખનીજ ચોરી અટકાવવા આવુ થયુ છે ત્યારે દરેક વિસ્તારોમા હવે પ્રજાજનો જ ઝુંબેશ કરવા લાગશે કે શુ? તે સવાલ ઉઠ્યો છે બીજી બાજુ એ પણ છે આ પહેલ થઇ પરંતુ દર વખતે આ પહેલ નો જુસ્સો રહેશે કાયમ અસરકારક રીતે જાગૃતિ જળવાશે કે કેમ?
જોડિયા તાલુકાના આણંદા ગામે ઉંડ નદીમાં ચોમાસાનું બે કાંઠે પાણી ભરેલ હોવા છતાં રેતીચોરી કરતા ખનીજ માફીયા તત્વો બાર્જ મારફત પાણીમાંથી રેતીચોરીનો કીમીયો શોધીને ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા હોવાનું સામે આવતા આણંદા ગામના સરપંચ સહિતના આગેવાનો સ્થળ પર જઇને રેતી ચોરી બંધ કરાવીને પોલીસ સહિતના તંત્રને જાણ કરી હતી. જો કે જોડિયા તાલુકામાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી કરોડો રૂપિયાની રેતીની ખનીજ ચોરી મામલે લગત તંત્ર દ્વારા પગલા ન ભરાતા અંતે ગ્રામજનો હિમ્મત દાખવીને રેતીચોરી કરતા ખનીજ માફીયા તત્વોને ખદેડી રહ્યાનો આ કિસ્સો અન્ય વિસ્તારો માટે પ્રેરણા લેવા જેવો છે.