Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર સહિત સમગ્ર જિલ્લામા અને દ્વારકા જિલ્લામાં ચાર છાટા પડે ને કલાકો સુધી વીજળી ગુલ થઇ જાય છે માટે લોકો એટલે કે વીજગ્રાહકો પુછે છે કે આવી પ્રિ-મોન્સુન કામગીરી હશે? PGVCLનો કોઇ એક્શન પ્લાન નહી હોય કે તે રાબેતા મુજબનો હશે ને ધુળ ખાતો હશે.? કેમ કે એક બાજુ વરસાદ ઓછો અને અસહ્ય બફારો એમા લાઇટ ન હોય તો પંખા એસી કુલર ન થાય માટે બફારો થાય આમ બંને તરફ થી અસહ્ય સ્થિતિ છે ત્યારે ગ્રાહકો કહે છે તોંતીંગ વીજબીલ તો વસુલો છો તો વીજ પુરવઠો ગ્રાહકોને નિયમિત કેમ આપી શકતા નથી?
વીજવિભાગ અને ધાંધીયા એ બંને એકબીજાના પુરક હોય તેમ છેલ્લા દોઢ પોણા બે મહિનામાં ચોમાસાની શરૂઆતના વરસાદી માહોલએ વીજ વિભાગની કહેવાતી પ્રિમોન્સુન પ્લાનની પોલ ખોલી નાંખી છે અને નવા અધિક્ષક રાડાએ સ્ટાફ ઉપર રાડો પાડી હશે પણ અવિરત સેવા આપી શક્યા નહી માત્ર સુચનાઓ આપી બેસી રહ્યા હોય તેમ પણ લાગે છે. જામનગર PGVCL સર્કલ હેઠળ જામનગર અને દ્વારકા જિલ્લાઓ આવે છે તે બંને જિલ્લાઓમા વિધીવત ચોમાસાની શરૂઆતથી પવન સાથે વરસાદ અનેક વિસ્તારોમા થયો કાલાવડ લાલપુર ભાણવડ ધ્રોલ જોડીયા ખંભાળીયા કલ્યાણપુર દ્વારકા પંથકના જુદા જુદા ગામોમા ક્યાક તાલુકા મથકે ક્યાક ગામડાઓમા ભારે વરસાદ પડ્યો અને દિવસો સુધી લાઇટો ત્યારેય ન હતી…
આ હવામાન વચ્ચે ક્યાક વરસાદ પહેલા તો ક્યાક વરસાદ દરમ્યાન વીજ પુરવઠા ઠપ્પ તો થયા એટલુ જ નહી અનેક વિસ્તારો અને ગામોમા કલાકો કે દિવસો સુધી વીજપુરવઠા રેગ્યુલર ન થયા તેમાય જામનગરમા તો અવારનવાર વરસાદી માહોલ બન્યો પવન ફુંકાયો ત્યાતો કેટલાક વિસ્તારો મા વીજધાંધીયા ક્યાક શોર્ટસરકિટ ક્યાક લો વોલ્ટેજ ક્યાક હાઇ વોલ્ટેજ ની સમસ્યા થયાનુ અનેક વીજ ગ્રાહકોએ જણાવ્યુ છે,
ત્યારે પ્રશ્ન એ છે કે નવા અધિક્ષકે સુચનાઓ આપી કે ગ્રાહકોની સમસ્યાઓ જલદી દૂર કરવી પ્રિમોન્સુન કામ નક્કર કરવુ જરૂર પડ્યે ઇમરજન્સી રીપેરીંગ કરવા દરેકે તેની ફરજ પર સજ્જ રહેવુ ટેલીફોન મોબાઇલ દરેક એટેન્ડ કરવા વગેરે અનેક મુદાઓનો આ સુચનાઓમા સમાવેશ થાય છે, પરંતુ સમસ્યાઓ તો થઇ લોકો હેરાન થયા હજુ ચોમાસુ બાકી છે તો કરોડોના આંધણ બાદ પણ આવુ જ રહેશે ? તો ખર્ચ ક્યા થયો છે? તે સવાલ છે… હાલ બે છાંટા પડે ફોલ્ટ હોય કે ગમે તે કારણસર કલાકો સુધી વીજળી કાં ઠપ્પ થાય તે જ સમજાતુ નથી તેમાંય રાત્રે તો અંધારપટ્ટ આમા વીજગ્રાહકો ની બિચ્ચારા જેવી સ્થિતિ થાય છે અને આ હજુ ચોમાસાની શરૂઆત જ ગણાય ગત વર્ષે નવરાત્રી સુધી વરસાદી માહોલ હતો તો વીજવિભાગ ગ્રાહકોને સતાવાનુ બંધ કરે તે તંત્રના હિતમા છે નહિ તો લોકો નીકળી પડશે લડતના મુડ સાથે ત્યારે તંત્રની જોવા જેવી હાલત થશે બીજી તરફ એવુ કહેવાય છે કે સર્કલ ડીવીઝન સબડીવીઝન કક્ષાએ મીટીંગ થાય છે સુચનાઓ અપાય છે છતા વિજ ધાંધીયા એ તો સુચનાઓના સુરસુરીયા જ ગણાય ને.?