Mysamachar.in-જામનગર
જામનગર અને દ્વારકા આ બન્ને જિલ્લાઓમાંથી એસીબીના સકંજામાં આવેલા અધિકારીઓ કે કર્મચારીઓના દરેક વખતે નિસાસા હોય છે કે આવા સમયે કોઇ સગુ ન થાય કોઇ આડુ ન આવે કોઇ હાથ ન પકડે(અને હા કોઇપણ ક્ષેત્રના ચોક્કસ વગદાર દ્વારા પુરૂ જ કરી નાંખવા ઠોસ અને અસરકારક સચોટ બાતમી આપી તંત્રને સઘન કાર્યવાહી કરવા સજાવી ધજાવી દીધા હોય ત્યારે તો છટકવાનો કે રાહત મળવાના અણસાર જ ન મળે તાજેતરના પ્રદુષણ બોર્ડના અધિકારી સકંજામાં આવ્યા તેમાં આવી જ કંઇક બાબત કારણભૂત હોવાનુ પ્રબળ અનુમાન સુત્રોનુ છે) તેવુ બનતુ હોય છે અને દર વખતે કમાયેલા જંગી નાણા વેરવા બહુ પડે છે, પરંતુ કાયમી છુટકારો તુરંત તો મળતો ન હોય એસીબીના હાથે ઝડપાયેલાઓની લાચારી મજબુરી ઢીલાસ કસાણુ મોઢુ આફતથી ભાંગી પડેલ વગેરે લક્ષણો જોવા મળતા હોય છે (જોકે લોકોની ચર્ચા મુજબ અમુક ટ્રેપ પહેલા જ કોઇ “કૃપા” થી સતેજ થઇ ઝપટમાં જ ન આવે અમુક તપાસ દરમ્યાન કંઇક સમુનમુ કરી ઉપરથી છેડા અડાડી પોતાની ફાઇલ દબાવી રખાવવા સફળ થાય તેવા કિસ્સાઓ પણ બનતા હોય છે તે બાબત અલગ છે)
પરંતુ મહત્વની બાબત એ છે કે મોટાભાગે નાણા ઢસરડાનારાઓ ક્યારેક કંઇક ભય સતાવે તેઓને ઘણાય હિંમત આપનારા હોય છે( લેનારા પણ ભાન ભુલી એકઠુ કરવામાં લાગ્યા હોય છે) તેમ જ અમે બેઠા છે તેવુ કહેનારાઓની નજર સામે ઘણા સસ્પેન્ડ થયા…ઘણા TRAP માં આવ્યા…ઘણા બદલી ગયા તોય આ ભ્રષ્ટાચાર કરનારાઓની સંખ્યા વધતી જ રહી છે પરંતુ સલવાય ત્યારે વાસ્તવિકતા સામે આવે કે કોઇ સગુ ન થાય( જુજ કેસમાં જ કોઇ કોઇ છટકી શકવામા સફળ થતા હોય છે તેવા કિસ્સાઓ પણ રાજ્યમાં જોવા મળે છે) કોઇ આડુ ન આવે કોઇ બચાવવા ન આવે બધુ જ એકલુ સહન કરવુ પડે છે એ લાચારી એ મજબુરી અને એ હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવી હાલતની કલ્પના અઢળક લાંચ લેતી વખતે કોઇએ કલ્પના પણ ન કરી હોય તે એક કડવી સચ્ચાઇ છે તેમ સમીક્ષકો જણાવે છે.
આ પ્રદુષણ બોર્ડના સુત્રેજાએ ઘણાનુ ઘણુ ઢાંક્યુ હશે કોઇ મંજુરી કોઇ તપાસ કોઇ ક્લોઝર કોઇ નોટીસ વગેરે અનેક બાબતે ઘણી બાંધછોડ કરી હશે તેનુ તગડુ વળતર પણ મેળવ્યુ હશે પરંતુ હાલ જ્યારે તપાસના ચક્રવ્યુહમા આવ્યા ત્યારે અનેક ના કામ કે તરફેણ કર્યા હોય છતા હાલ તો કોઇ મદદે ન આવે ને મદદ કરી પણ ન શકે તે વાસ્તવિકતા છે હા કોઇ ચમત્કાર થાય અને ઉપરથી કોઇ જેક લાગી જાય તો વાત અલગ છે તો જંગી નાણા દુધે ધોયેલા પણ થઇ શકે પરંતુ તે શક્ય બને તેવુ બહુ જુજ બની શકે છે દર વખતે તપાસ ઢીલી ન થઇ શકે આવા અનેક વિચારવાયુમાં હાલ તો સુત્રેજા અટવાઇને ક્યાક ક્યાક હાથ પાવ મારતા હોય તો પણ નવાઇ નહી તેવી ચર્ચાઓ પણ અમુક ચબરાકો કરે છે.
-જામનગરના આ છે ઉદાહરણો
જામનગર કોર્પોરેશનમાં અને સતાધારી પાંખમાં જેનો એક સમયે સિક્કો ચાલતો તે જે.વી.સેદાણીએ ખુબ બધાના કામ કર્યા અને ખુબ કેટલાયનું સાચવ્યું ત્યાં સુધી કે એક ઓડિયો પણ વાયરલ આ અધિકારી અને એક નેતા વચ્ચેની વાઈરલ થઇ હતી જેમાં તેવોએ શહેર ભાજપ કાર્યાલયના નિર્માણકાર્યમા સિંહફાળો આપ્યાની વાત પણ કરતા હતા, (જો કે આ કલીપની સત્યતા સામે આવી નથી)એવા જ સ્લમ શાખાના અને તાજેતરમાં જેના પર શૌચાલય કૌભાંડને મામલે ફરિયાદ નોંધાઈ છે તે એચ.વી.બેરા પણ કેટલાયનું સાચવી લેતા હતા તેવી ચર્ચાઓ પણ થાય છે, પણ સાચું શું તે સામે આવ્યું નથી પણ તેમના પર ગાજ પડી ત્યારે…તો કોઈ બાજુમાં નહોતું…આ તો માત્ર ઉદાહરણો છે કે કે ગાજ પડે ત્યારે કોઈ પાસે નથી આવતું એટલે જે કરવું હોય તે લંબાણપૂર્વકનો વિચાર કરીને કરવું જોઈએ.