Mysamachar.in-ગાંધીનગર
વાલીઓમાં અત્યારે સૌથી વધુ મૂંઝવણ છે કે શાળાઓ ખૂલશે કે નહિ.? ખુલશે તો ક્યારે ખુલશે, ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ ખૂલવા અંગે મીડિયા સાથેની વાતચીતમાં ગાંધીનગર ખાતેથી જણાવ્યું હતું કે હાલ શાળાઓ ચાલુ કરવા માટે કોઈ ઉતાવળ નહીં કરવામાં આવે. બાળકોના હિતનો વિચાર કરવામાં આવશે. શાળા અને કોલેજ શરૂ કરવા માટે સરકાર કોઇ ઉતાવળિયો નિર્ણય નહિ કરાય. પહેલા કોલેજ પછી 10-12 પછી અન્ય વર્ગો શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગનો પણ મત લીધા પછી નિર્ણય લેવામાં આવશે. સ્કૂલમાં જતા પહેલા વિદ્યાર્થીઓનું બાળકોનું હેલ્થ ચેકઅપ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે પછી જ નિર્ણય લેવાશે.