Mysamachar.in-જામનગર:
ભોઇ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિશાળા પરિવાર દ્વારા બાળકોમાં આવેલ ઊણપને દૂર કરવા તેમજ કોરોના પછી બાળપણને ઘરમાંથી બહાર લાવવા 5 વર્ષથી લઈ 15 વર્ષના બાળકો માટે ફ્રી લેઝીમ કલાસ તેમજ લાઠી દાવ શરૂવાત કરવામાં આવી હતીજેમાં 60 જેટલા બાળકો ને મોબાઈલ ની દુનિયામાં થી બહાર લઈ આવવા માટે અને શારીરિક અને માનસિક રીતે બાળકોનો પૂર્ણ વિકાસ માટે આ કલાસ ચલાવવામાં આવે છેલેઝીમના વિશેષજ્ઞો દિવ્યેશ જેઠવા,જયદીપ વારા,વૈભવ કુંભારાણા ,રિશી દાઉદિયા, અક્ષય જેઠવા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છેસાથોસાથ બાળાઓ અને બાળકોને લાઠી દવ બિલાકડી જેવા દાવ કપિલ જેઠવા અને સાથી સ્વયંસેવક દ્વારા શીખવામાં આવી રહ્યા છે,બાળકોના ઉત્કર્ષ ને વધારવા માટે રાત્રિશાળા દ્વારા વિવિધ કેમ્પો ચલાવશે એવું પણ એક યાદી માં જણાવાયું છે, આ સમગ્ર સીબીર અને કેમ્પો નું આયોજન રાત્રિશાળાના પ્રમુખ પ્રીતેસ પી. મહેતા ઉ.પ્રમુખ વિશાલ દાઉદીયા મંત્રી સાગર મહેતાના માર્ગદર્શન હેઠળ સહમંત્રી મિતેષ દાઉદીયા ,ધર્મેશ જેઠવા,હિતાર્થ વારા, ધવલ રાઠોડ, ઉદિત વારા, તેમજ સમગ્ર ટીમ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.