My samachar.in:-જામનગર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે જિલ્લા પંચાયત જામનગર દ્વારા એ દિશામાં પહેલ કરવામાં આવે છે. કૃષિનાં ઋષિ એવા ખેડૂતો ખરા અર્થમાં પ્રાકૃતિક ખેત પધ્ધતિથી ખેત પેદાશોનું ઉત્પાદન કરતા થાય અને જામનગર જિલ્લાના પ્રત્યેક ગામ દીઠ ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરે એવા શુભ આશયથી જિલ્લા પંચાયત સ્વભંડોળના અનુદાનથી જામનગર જિલ્લાની તમામ 417 ગ્રામ પંચાયતોને 86 કલસ્ટરમાં સમાવિષ્ટ કરી પ્રાકૃતિક કૃષિ શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે.તો મુખ્ય મહેમાન તરીકે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહેશે આ કાર્યક્રમ તા.૩૦ એપ્રિલના સવારે 10:૦૦ કલાકે ટાઉનહોલ ખાતે યોજાશે