Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા ની એલ.ઇ.ડી. લાઇટોમાંથી અનેક વિસ્તારોમાં વીજચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. વીજચોરો દ્વારા વીજચોરીનો નવો કિમીયો જામનગરમાં થતો હોવાનો સુર લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. છતાં મહાનગરપાલિકાના લાઇટ શાખાનું તંત્ર અજાણ છે. જામનગરમાં જુદા-જુદા વિસ્તારોની શેરી ગલ્લીઓમાં એલ.ઇ.ડી. લાઇટો રાત્રી પ્રકાશ માટે ફિટ કરેલ છે. જે એલ.ઇ.ડી. લાઇટ ચાલુ રહે છે ત્યારે આ લાઇટો ચાલુ હોય ત્યારે કેટલાક કિમીયાગરોએ નવતર પાવર ચોરી કરવા કિમીયો અમલમાં મુકયો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
આ વીજ ચોર કિમીયાગરો પોતાના ઘર પાસેની એલ.ઇ.ડી. લાઇટમાંથી થઇ વીજ પુરવઠો ગેરકાયદેસર મેળવી રહ્યા છે. આખા ઘરની લાઇટો, પંખા, ફીજ બધા જ ઇલેકટ્રીક ઉપકરણોનો વપરાશ મહાનગરપાલિકાની એલ.ઇ.ડી. લાઇટમાં લંગરીયા નાખીને વીજ ચોરી થઇ રહી છે. તેવી ફરિયાદો ઉઠે છે. શેરી ગલ્લીઓમાં ઘર નજીકના ઇલેકટ્રીક પોલ કે દિવાલમાં ફીટ કરેલ એલ.ઇ.ડી. લાઇટોમાંથી વીજ કિમીયગરો લંગરીયા ગેરકાયદેસર નાખી વીજ ચોરી કરે છે. આવી જ ચોર કિમીયાગરો માત્ર રાત્રીના સમયે આ નવતર વીજ ચોરી કરવામાં આવે છે. તેવા કિસ્સાઓ મીડીયા સમક્ષ પ્રકાશમાં આવ્યા છે.
ત્યારે જામનગર મહાનગરપાલિકાના લાઇટ શાખાના ઇજનેરને આવી જ ચોરી પુછતા તેઓ એ આ પ્રકારની ફરિયાદો નવતર છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા દિવાલમાં એલ.ડી. લાઇટો ફિટ ન કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જો આવી કોઇ ફરિયાદો મળશે તો ચોકકસ પગલાં લેશું તેમ ઇજનેરે જણાવ્યું હતું. વીજ ચોરીની આ પ્રકારની ફરિયાદો અંગે આવનારા સમયમાં ટીમ બનાવી રાત્રીના સમયે તપાસ પણ કરાવીશું તેમ જણાવ્યુ હતુ. આ પ્રકારની રાત્રીના સમયે એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટમાંથી વીજચોરીના કારણે મહાનગરપાલિકા ઉપર વીજ બીલનું આર્થિક ભારણ વધે છે ત્યારે નવતર પ્રકારની એલ.ઇ.ડી. લાઇટોમાંથી વીજ ચોરી કરનાર સામે મહાનગરપાલિકાનું તંત્ર કેટલું સફળ રહે છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે.