Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પંચાયતના અગામી અઢીવર્ષ માટે હોદેદારોના નામોની જાહેરાત આજે પક્ષ દ્વારા કરી દેવામાં આવી છે, જો કે વિધિવત વરણી આવતીકાલે થશે પણ તે પહેલા આજે જામનગર જીલ્લા ભાજપે હોદેદારોના નામો જાહેર કરી દીધા છે, જેમાં પ્રમુખ તરીકે ધરમશીભાઈ ચનીયારા, ઉપપ્રમુખ તરીકે નયનાબેન પરમાર, કારોબારી સમિતિના ચેરમેન તરીકે ભરત બોરસદીયા અને શાશક પક્ષના નેતા તરીકે લગધીરસિંહ જાડેજાની પસંદગી કરાઈ છે, જો કે આ તમામની વિધિવત વરણી આવતીકાલે થશે આજે માત્ર નામો જાહેર કરવામાં આવ્યા છે.