Mysamachar.in-જામનગર:
જામનગર મનપાના વિપક્ષ નેતા માટે છેલ્લા કેટલાય સમયથી કેટલીય અટકળો અને આંતરિક ખેંચતાણ ચાલી રહી છે, આ તમામ વચ્ચે હવે આગામી 16 જાન્યુઆરીના રોજ આ કોકડું ઉકેલાઈ જશે અને કોંગ્રેસના આંતરિક આધારભૂત વર્તુળોમાંથી જે રીતે જાણકારી મળી રહી છે તે મુજબ કોર્પોરેટરો ધવલ નંદા અથવા આનંદ રાઠોડ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે, જો કે કોઈ લોબિંગ કરવામાં છેલ્લી ઘડીએ અન્ય કોઈ ફાવી જાય અને નામ બદલી જાય તો નવાઈ નહિ બાકી સુત્રો કહે છે કે આ બે નામો પરથી એક નામ પર મંજુરીની મહોર લાગશે અને તે જ જામનગર મનપા વિપક્ષ નેતા બનશે.