Mysamachar.in-જામનગર:
જામનગરમાં વીજવિભાગ એટલે કે પીજીવીસીએલે નહિ પરંતુ સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટીમે ટ્રાન્સફોર્મરની ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે પીજીવીસીએલની બેદરકારી કહો કે પછી મેલી મુરાદ તે સામે આવી હતી, છતાં અધિકારીઓ “હવામા” હતા, એવામાં mysamacharને જે માહિતી મળી છે તે પ્રમાણે ટ્રાન્સફોર્મર ચોરી થવાનું મુખ્ય કારણ “અન્ચાર્જડ ટીસી” છે, એટલે કે તેને સરળ ભાષામાં સમજીએ તો ટ્રાન્સફોર્મર જે તે જગ્યાએ ઇન્સ્ટોલ કર્યા બાદ પણ સીસ્ટમ સાથે ચાર્જ કરવામાં ના આવતા એટલે કે કાર્યાન્વિત ના થતા તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેવી મજા પડી ગઈ હતી, અને રેકોર્ડ પર ૩૫ થી ૪૦ ટ્રાન્સફોર્મર ચોરી થયાનું સામે આવ્યું હતું, પણ સુત્રો કહે છે કે આ આંકડાઓ અધ ..ધ…ધ ખરેખર ૫૦૦ ની ઉપર છે..
પોલીસની કાર્યવાહી બાદ માત્ર ત્રણ-ચાર અધિકારીઓને ચાર્જશીટ આપીને વિભાગે પોતાનો તો બચાવ રાખી લીધો પણ સત્ય ને છુપાવી દેવાનો પ્રયાસ નિંદનીય છે, આધારભૂત સુત્રો ત્યાં સુધી કહે છે કે ટ્રાન્સફોર્મરની આવક જાવક અને લાગ્યા અંગેના કોઈ રેકોર્ડ જે રીતે થવા જોઈએ તે રીતે નિભાવવામાં આવતા નથી, જે તે સમયે ચોરી સામે આવી ત્યારે અને હાલનો રેકોર્ડ શું તેના જવાબો કોણ આપશે?? શા માટે તપાસને યોગ્ય દિશા આપવાને બદલે આડી દિશામાં વાળવાના પ્રયાસો થઇ રહ્યા છે?? વગેરે વેધક સવાલ ઉઠે છે,. વધુ આશ્ચર્ય ત્યારે જાગે જયારે જાણવા મળ્યુ છે કે ચોરાયા છે તે ટ્રાન્સફોર્મર લાગતા હતા ત્યારે વડી કચેરી એટલે કે કોર્પોરેટ ઓફીસ દ્વારા પણ તેનું મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું હતું તો તેનુ મોનીટરીંગ કેવુ કરાતુ હશે કે પછી સૌનો સહિયારો વિકાસ થાય માટે મોકળા મેદાન અપાયા માટે જ ટોટલ ચોરાયેલામાંથી માત્ર જુજ જ પોલીસને પણ મળ્યા હતા તે પણ આશ્ચર્ય છે.