Mysamachar.in-જામનગર
મનપાની ચુંટણી પહેલા ભાજપમાં ભંગાણ પડવાની શરુઆતનો આજે પહેલો કિસ્સો સામે આવ્યો છે, જામનગર વોર્ડ નંબર 4 ના ગતટર્મના ભાજપના પૂર્વ કોર્પોરેટર રચના નંદાણીયા આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે, મહત્વનું છે કે રચના નંદાણીયા ગતટર્મમાં 2017માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, અને આજે ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે, આ અંગે તેવોએ “માયસમાચાર” સાથેની વાતચીતમાં કહ્યું કે મારી અને મારા પરિવારની વિચારધારા કોંગ્રેસી છે, અને નાના અને ગરીબ માણસોના કામો માટે મારે વારંવાર વિરોધ કરવો પડતો હતો, તેથી આજે ફરી ઋણ ચુકવવા કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત તેમણે કરી હતી.