Mysamachar.in-જામનગર
શહેરમાં આજે દિનદહાડે એક યુવકની સરાજાહેર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા નીપજાવવાનો બનાવ સામે આવ્યો છે, જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે ઇસુફ ખફી જે સુમરા ચાલી નજીક વસવાટ કરે છે તેના પર આજે કિશાનચોક ઉનની કંદોરી નજીક છરીના ઘા ઝીંકીને હુમલો કરી હુમલાખોર શખ્સો નાશી છૂટ્યા હતા, જયારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે, બનાવને પગલે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોચી ગયો અને વધુ તપાસ હાથ ધરી છે, હત્યા નીપ્જાવવાનું કારણ અને હત્યારા કોણ તે હજુ સુધી સામે આવ્યું નથી,.