Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ચાંદીબજારમાં ગતમોડી રાત્રીના સમયે એક યુવકને સમાધાન માટે બોલાવી બાદમાં તેના પર જીવલેણ હુમલો કરી દેવામાં આવતા યુવક ને સારવારમાં ખસેડવામાં આવતા જ ટૂંકી સારવામાં જ તેનું મોત નીપજયાનુ જાહેર થતા એ ડીવીઝન પી.આઈ.એમ.જે.જલુ, પીએસઆઈ હરિયાણી સહિતનો કાફલો આ ગંભીર ગુન્હાના આરોપીઓને ઝબ્બે કરવા કામે લાગતા આરોપીઓ હાથવેંતમાં હોવાનું પોલીસ સુત્રો જણાવે છે,આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ…
જામનગરના પટણીવાડમાં વસવાટ કરતા સબીર ગફારભાઈ લાલપરીયા નામનો 25 વર્ષીય યુવક તેમની પત્ની સાથે નીકળતા સદામ બાજરીયા નામના શખ્સે તેમની મશ્કરી કરતા મરણજનાર સાથે બોલાચાલી થઇ હતી, જે બાદ સમાધાન માટે ચાંદીબજાર ખાતે બોલાવી અને સદામ બાજરીયા, ઝુબેર બાજરીયા, મોહસીન શેખ, વસીમ બશર, સહિતનાઓએ એકબીજાની મદદગારી કરી અને વસીમે મૃતક સબીર ને પેટના ભાગે છરીના ઘા ઝીંકતા તેને સારવાર અર્થે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવામાં જ તેનો મોત નીપજતા એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધાનું જાણવા મળે છે.