Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા સહીત સંસદીય ક્ષેત્રના દરેક પ્રશ્ને હમેશા જાગૃત રહી અને લોકપ્રશ્નોનું તુરંત જ હકારાત્મક નિરાકરણ થાય તે દિશામાં સાંસદ પૂનમબેન માડમ સક્રિય રહે છે, અને તે કારણે જ તેવો લોકપ્રિય નેતા છે, હાલમાં કોરોના મહામારીનો વ્યાપ ચોતરફ છે ત્યારે પણ પુરતી ગાઈડલાઈનના પાલન સાથે સાંસદે લોકસંપર્ક જાળવી રાખી અને લોકોના પ્રશ્નોના ઝડપભેર નિરાકરણ કરતા હોવાના ઉદાહરણો સામે આવતા રહે છે.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ હાલ નવીદિલ્હી ખાતે સંસદના ચોમાસુ સત્રમા ઉપસ્થિત છે, ત્યારે શુક્રવારે મુખ્યમંત્રીની સુચનાથી જામનગરની આરોગ્ય સમીક્ષા માટે આવેલા અધીક મુખ્ય સચિવ પંકજકુમાર સાથે સંસદસત્રમાંથી ખાસ વચ્ચે થોડો બ્રેક લઇ પૂનમબેને હાલારના બંને જિલ્લાની ખાસ સમીક્ષા-સર્વે-જરૂરીયાત બાબતે જરૂરી ટેલીફોનીક ચર્ચા કરી લોકોના પ્રશ્ર્નોના નિરાકરણ અને સુવિધા માટેના સુચનો સાથે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઝડપથી થાય તેની ભારપુર્વકની છણાવટ સાથે આગ્રહ રાખ્યો હતો અને તે માટે જરૂરી સુચનો પણ કર્યા હતા,
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં જામખંભાળીયા-દ્વારકા-જામનગર સહિતની સીવીલ હોસ્પીટલો જેમાંની કોવિડ કેર હોસ્પીટલ તેમજ વિવિધ રોગોની સારવાર ઓપરેશન આઉટડોર ઇન્ડોર સહિતની આ સીવીલ હોસ્પીટલોમાં આરોગ્ય સર્વિસ અપાય છે ત્યારે મેડીકલ -પેરા મેડીકલ-એટેન્ડન્ટ-સહાયક સહિતની સ્ટાફ-સુવિધા-ઓક્સીજન-દવા -ઇન્જેક્શન સહિત મેડીસીન અને મેડીકલ ફેસિલીટી -સુચારૂ એડમીનીસ્ટ્રેશન અને જરૂરી તમામ સાધન સુવિધા બાબતે જામનગર આવેલા અધીક મુખ્ય સચિવ પંકજકુમાર સાથે ટેલીફોનીક વિસ્તૃત ચર્ચા સંસદસભ્ય પૂનમબેન માડમ એ નવી દીલ્હીથી કરી હતી અને આ બંને જિલ્લાની સરકારી હોસ્પીટલોને લગત લોકોની સંખ્યાબંધ રજુઆત મળી હોય તે મામલે નિરાકરણનો આગ્રહ રાખવામા આવ્યો હતો
સાંસદ પૂનમબેન માડમે આ તમામ બાબતો એ અગાઉ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સમક્ષ કરેલી વિસ્તૃત રજુઆતો અને તે સંદર્ભે મળેલા હકારાત્મક પ્રતિભાવ અને તાકીદના જરૂરી પગલાની જે ખાત્રી મળી હતી તે સંદર્ભને આ ટેલીફોનીક મીટીંગમા ખાસ મુદાસર ટાંકી ને જનઆરોગ્યની જરૂરી સુવિધા બાબતે તાત્કાલીક પગલા જનહિતમા જરૂરી હોવાનુ ભારપુર્વક જણાવી મહત્વપુર્ણ બાબતો ઉપર ભાર મુક્યો હતો.