Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
કોવિડ-19 ની પરિસ્થિતીના કારણે જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીય મતવિસ્તારની લોકલ તથા એકસપ્રેસ ટ્રેનો બંધ થયેલ હતી, રાજયની કોવિડની પ્રર્વતમાન પરિસ્થિતીને ધ્યાને લઈ બંધ થયેલ લોકલ તથા એકસપ્રેસ ટ્રેનો પુનઃ ચાલુ કરવા માટે સાંસદ પૂનમબેન માડમ રેલ્વે સતાવાળાઓ સમક્ષ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા રેલ્વે દ્વારા મુંબઈ-પોરબંદર (સૌરાષ્ટ્ર એકસપ્રેસ) તથા ભાવનગર-ઓખા લોકલ ટ્રેન તા.18-8-2021 થી પુનઃ ચાલુ કરવામાં આવશે. તો પોરબંદર કાનાલુસ લોકલ પેસેન્જર ટ્રેન તા.16 ઓગસ્ટથી દોડતી થશે આમ સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી પુનઃ શરૂ થનાર ટ્રેનોના લીધે યાત્રીકો અને સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપેલ છે.