Mysamachar.in-જામનગર:
કાલાવડ માર્કેટીંગ યાર્ડના આધુનિકરણ માટે એગ્રીકલ્ચરલ માર્કેટીંગ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્ક્રીમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેકટ ખર્ચના 25% રકમ સબસીડી તરીકે આપવામાં આવે છે. કાલાવડ ખેત ઉત્પન્ન બજાર સમિતી દ્વારા રૂા.21.08 કરોડ ના પ્રોજેકટ ખર્ચ સામે મળવાપાત્ર સબસીડીની ૨કમ 4.58 કરોડની પેન્ડીંગ રકમ મળવા કેન્દ્ર સરકારમાં રજુઆત થયેલ હતી, જે બાબતે કાલાવડ માર્કેટીંગ યાર્ડ ચેરમેન યુવરાજસિંહ જાડેજા તથા વાઈસ ચેરમેન કાંતિભાઈ ગઢિયાને સાથે રાખી સાંસદ પૂનમબેન માડમએ નવી દિલ્હી ખાતે કૃષિ મંત્રાલય સમક્ષ રૂબરૂ અસરકારક રજુઆત કરતા કૃષિમંત્રી દ્વારા મળવાપાત્ર સબસીડીની રકમના 50% રકમ 2.29 કરોડનું ફંડ તાત્કાલીક રીલીઝ કરેલ છે, સાંસદ પૂનમબેન માડમની આ પરિણામલક્ષી અસરકારક રજુઆત અને રૂબરૂ ભલામણથી તાત્કાલીક મળેલ સબસીડી ફંડ બદલ કાલાવડ માર્કેટીંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા સહિતની સમિતી દ્રારા પૂનમબેન માડમનો આભાર માનેલ છે.