Mysamachar.in-જામનગર
જામનગરના બંદરોએ મરીનપાર્કને માલ લોડીંગ અન લોડીંગ વખતે થતા નુકસાન અને પ્રદુષણ મામલે હવે થશે ન્યાય મેળવવાની પ્રક્રિયા આવી પ્રક્રિયા થાય તેવો સળવળાટ થય રહ્યાનુ ખાનગી રાહે જાણવા મળ્યુ છે જોકે જાગતા પ્રહરી અલગ અલગ તબક્કાની મેજીસ્ટરીયલ સતા સમક્ષ અરજી કરી પર્યાવરણ બગડતુ અટકાવવા અલગ અલગ કાયદા (જાહેર સંપતિને નુકસાનની ફોજદારી પગલા લેવા સહિતની કલમો કાયદાઓ વગેરેના આધારે તેમજ EPA તેમજ ફોરેસ્ટ એક્ટ તેમજ સેંક્ચ્યુરી એન્ડ પાર્ક જાળવણી અને રક્ષણના કાયદા નિયમ નોટીફીકેશન ઠરાવ પરિપત્ર વગેરે) અનુસારની કાર્યવાહીઓ જેમા જોગવાઇઓ મુજબ દંડ અને સજા બંને થાય તે માટે પુરાવા રજુ કરી પ્રબળ માંગણી કરાશે અને બધુ જ દિવા જેવુ સ્પષ્ટ હોવાથી હુકમો પર્યાવરણના હિતમા જ થાય તેવી શક્યતાઓ જોઇ શકાય છે,
કેમકે સમગ્રપણે સનસનીભર્યા સ્ફોટક દસ્તાવેજો બહાર આવ્યા છે તે અરજી સાથે જાહેરહિતમા ખાસ જોડવા નિષ્ણાંતોની બહુમુલ્ય સલાહ મળી હોય સમગ્ર પ્રકરણ ઘાટુ થવામા છે, તેવી સચોટ ચર્ચા સંભળાય છે સાચુ તો વાજતુ ગાજતુ માંડવે આવશે ત્યારે જોવા જેવી દોડધામ થશે તેમ પણ અમુક ચબરાકો કહે છે પરંતુ સાચુ તો સામે આવે ત્યારે ખ્યાલ આવે અને ગંભીરતા ન લેનાર ઉંઘતા ઝડપાય અને દેહને કે કોઇ હિસ્સાને ભિનાશ ટચકરી જાય ત્યા સુધી મોડુ થઇ ગયુ હશે તેમ અમુક જાણકારોએ કોન્ફીડન્સ સાથે જણાવ્યુ છે જો કે આવી ચેલેન્જો તો અમુક બીઝનેસમેન સામાન્ય ગણતા હોય છે કે હળવાશથી લેતા હોય છે જેથી કોક કોકવાર વિલંબ થાય તો નુકસાન પણ થતુ હોય છે તેમ પણ અંદરની વાતો જાણનારા ચિંતા સાથે ચર્ચા કરતા હોય છે
આ માટે સાથે રજુ કરવાની બાબતોમાથી અમુક જોઇએ તો…કે જેની નકલો ચબરાકોએ હસ્તગત કરી કલેક્ટરની કોર્ટ એટલે કે જિલ્લા મેજી.ને તેમજ ત્યાના માર્ગદર્શન બાદ ન્યાયની અદાલતમા જરૂર પડે તો ત્યા દ્વાર ખખડાવવા…અથવા SDM કોર્ટમા પણ પત્રોરૂપી દસ્તાવેજો સાથે ધા નાખી શકાય તેમા આ જોડી શકાય…
-જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતીમા પ્રજા પ્રતિનિધીઓ (mla) દ્વારા પુછાયેલ પ્રશ્નો તેમજ બંદર અધિકારીએ આપેલા જવાબોનુ રેકર્ડ વગેરે
-અડધો ડઝન જેટલી જામનગરના બંદરો ઉપર જે એજન્સીઓ કે કંપનીઓ વગેરે માલ પરિવહન કરે છે તેમને પ્રદુષણ એટલેકે દરિયાના પાણી સંપતિને નુકસાન થાય છે તે લખી સુચના આપી તેની નકલ જેમા લખ્યુ છે કે મરીન પાર્ક અને અભયારણ્યમા થતા પ્રદુષણને તાત્કાલીક અટકાવવા બાબત તકેદારી લેવી અને આગળની કાનુની એક્શન ટાળવા ગંભીરતા લેવી
-આ અંતર્ગત એક એજન્સીના જવાબની નકલ જેમા..મહતમ પ્રીકોશન લઇશુ….એમ લખ્યુ છે તે લેટર( જો કે મરીન પાર્કને નુકસાન થાય તો મહતમના બદલે કમ્પલીટ-સંપુર્ણ ચુસ્ત કાળજી લેવી જોઇએ……આવુ નથી લખ્યુ છતા પોર્ટ વિભાગે જવાબ શા માટે માન્ય રાખી લીધો ? કઇક હર્યુ ભર્યુ કારણ હોય શકે તેવી શંકા જો કે અસ્થાને કહેવાય ન પણ કહેવાય….!!!)
-સંકલન સમિતિમા પુછાયેલા સવાલ સંદર્ભે કલેક્ટરને સંબોધી બંદર અધીકારીએ આ દરેક કામગીરી અંગેની બાબતો જણાવી તે નકલ
-પ્રદુષણ બોર્ડને વનવિભાગ મરીનએ લખેલ પત્ર જેમા બંદરે થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અંતર્ગત લેવાયેલ પગલા કોને કોને કેવી શરતોએ મંજુરી આપી છે વગેરે વિગત માંગી છે તે નકલ પણ જોડવામા આવે અરજી સાથે તે સ્વાભાવિક છે
-બંદર વન રેવન્યુ વગેરે વિભાગ પ્રદુષણબોર્ડ ને લખેલ છે કે આ વિગતો સરકારમા સાદર કરવાની હોય કાર્યવાહીઓની નકલો તાત્કાલીક વિસ્તૃત અને કાયદાનુસાર જણાવો…તેવા પત્રોની નકલો
.એકંદર પગલા લેવાના તમામ સરંજામ સજ્જ છે માટે આ દરેક કાગળો નોટીસો ખુબ અગત્યના છે જેના ઉપરથી દિવા જેવુ જ બધુ સ્પષ્ટ હોવાથી આ પ્રદુષણ બાબતે યોગ્ય સતાધીકારી દ્વારા શુ પગલા લેવાના છે તે માટે સ્પષ્ટ હુકમ થઇ શકે તેટલા પુરતા પુરાવા આ બાબતો તેમજ બીજી સ્ફોટક બાબતો દ્વારા પુરા પડી શકે ને પુરતા છે તેમ કાયદા અને પર્યાવરણ નિષ્ણાંતોનો અભિપ્રાય થાય છે.