Mysamachar.in-જામનગર
જામનગર રાજકોટ હાઈવે પર આવેલ મોરારદાસ ખંભાલીડા ગામે ખેત મજુરી કામ કરતા પરીવારની આદિવાસી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ત્રણ બાળકો સાથે આજે વાડીમાં આવેલ કુવામાં ઝંપલાવતા ત્રણ બાળકોની મૃતદેહ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે જયારે માતાનો બચાવ થયો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે,ઘટનાની જાણ થતા પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે મહિલાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે પોલીસની તપાસ બાદ જ સામે આવી શકશે પણ હાલ આ ગામમાં ત્રણ બાળકોના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે.આ અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે.