Mysamachar.in-ગાંધીનગર:
જામનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તરીકે ફરજ બજાવતા બી.જી.સુત્રેજા આજે એસીબીના સકંજામાં આવી ચુક્યા છે,એસીબીને માહિતી મળી હતી કે સુત્રેજા લાંચના નાણા મેળવી અને દર શનિવાર અને રવિવાર દરમિયાન પોતાના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને જાય છે, તેવો ગઈકાલે તુલસી ટ્રાવેલ્સની બસમાં ગાંઘીનગર ચ સર્કલ તરફથી આવનાર છે, તેથી એસીબી પંચો સાથે ત્યાં વોચમાં રહેતા સુત્રેજાને લેવા માટે હોન્ડા અમેઝ કાર આવી હતી, સુત્રેજા કારમાં બેસે તે પૂર્વે જ એસીબીએ તેમની પાસે રહેલ કાળી બેગ ચેક કરતા તેમાંથી અને તેમના ખિસ્સામાં થી કુલ મળીને 5.09.613 રૂપિયા મળી આવેલ આટલી મોટી રકમ અંગે ક્લાસ વન અધિકારી ને પૂછતાં તેવો આ બાબતે સંતોષકારક જવાબ આપી શકેલ નહોતા…
જેથી એસીબી ટીમ દ્વારા તેમના ગાંધીનગર નિવાસસ્થાને તાત્કાલિક ઝડતીની કાર્યવાહી કરતા વધુ 5 લાખ રોકડા અને 20 ગ્રામ સોનાની લગડી મળી આવેલ જે બાબતે પણ સુત્રેજા કોઈ ખુલાસો કરી શકેલ નહિ…જેથી CRPC કલમ 102 મુજબ આ તમામ રકમ કબજે લઇ ગાંધીનગર એસીબી દ્વારા આં અંગેની જાણવાજોગ નોંધ કરવામાં આવી છે.