Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
આમ તો જામનગર દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં તારીખ 16 અને 17 ના ભારે વરસાદની આગાહી છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે અને ઠેર-ઠેર પાણી પાણીને ટાઢોડુ છે, તો 16 અને 17 નો વરસાદ વળી કેવો હશે?અને ડેમ ભર્યા છે નદીઓ પુરી રહી નથી તો પાણી જશે ક્યા? બંને જિલ્લાઓના કંટ્રોલના આકડા દર્શાવે છે કે છેલ્લા દસથી ત્રીસ વર્ષની વર્ષે 24 ઇચ ની સરેરાશ ગણાય તેની સામે અત્યાર સુધી ત્રીસ-ત્રીસ ઇચ તો વરસાદ પડી ગયો અને સો ટકાથી વધુ વરસાદ એસી ટકાથી વધુ જળસંગ્રહ વરસાદ ચાલુ અને ઉપરથી ભારેની આગાહી આમા શું કરવુ?
તે પ્રશ્ર્ન ખેડુતોને ખુલ્લામા રહેનારને ગ્રામ્ય પ્રજાને પશુપાલકોને નિચાણવાળા વિસ્તારોને ડેમ તળાવ નદી કેનાલો પાસે રહેનારને વારંવાર જ્યા પાણી ભરાય છે તેવા વિસ્તાર સહિત અનેકને પજવે છે ટેન્શન કરાવે છે, સરકારી યાદી મુજબ આગામી તા. 16 અને 17 ઓગષ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહ સુધી લંબાઈ તેવી શક્યતા છે. જેને પગલે NDRFની ટીમોને સ્ટેન્ડ બાય કરાઈ છે, તેમજ માછીમારોને દરીયો ખેડવા પર પ્રતિબંધ મુકાયો છે. સારા વરસાદને પગલે રાજ્યમાં કુલ-૬૯ જળાશય હાઇ એલર્ટ 11 જળાશય એલર્ટ તથા 8 જળાશય વોર્નિંગ ઉપર છે.
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી.જે. વ્યાસ દ્વારા તમામ ઓનલાઈન અધિકારીઓને સંબોધાયા હતા., IMDના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં લો-પ્રેશર બની રહ્યુ છે. ઉ૫રાંત એક સાયકલોનીક સકર્યુલેશન પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન વિસ્તાર ૫ર હોઇ આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉ૫રાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ થઇ શકે છે. કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.10/08/2020 સુધીમાં અંદાજીત 78.02 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.
ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 71.34 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 91.90% વાવેતર થવા પામ્યું છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી 119.47 મીટર છે તેમજ 1,71,006 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 51.19% છે. તેમજ 7,522 કયુસેક પાણીની આવક થઈ છે. રાજયનાં 205 જળાશયોમાં કુલ સંગ્રહ 55.75% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-69 જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-11 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 8 જળાશય છે. ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે માછીમારોને દરીયો ખેડવા ૫ર પ્રતિબંધ છે. હવે આ સ્થિતિઓમા જોઇએ તો ડેમોમા કાપ માટી ભેગા થતા મુળ ઉડાઇ રહી નથી ઝડપી ભરાય અને ઝડપથી ખાલી પણ થાય
જામનગરનો રણજીતસાગર મુળ ઉડાઇ ૫૨ ફુટ હાલ ૨૫ થી ૨૬ ફુટ આવુ બધે જ છે, એટલે કે ડેમ ભરાયા તેના કરતા બુરાયેલા વધુ છે. તો વળી નદીઓમા બુરાણ પહોળાઇ ઘટી ત્યા દબાણ થયા એટલે પાણી ફરી વળે રંગમતીની હાલત જગજાહેર છે આવુ દરેક ગામમા છે. પાણી નિકાલના માર્ગોમા આડશો થઇ ગઇ તો વળી અમુક તો તેને વિકાસ કહે છે અને આ વિકાસ ભારે વરસાદમા કેવો ભારે પડે છે તે તો ભોગવનારાઓને ખબર છે આગાહી આવે ત્યારે તો સતેજ થવુ જોઇએ ને આવી બાબતો શક્ય એટલી અટકાવી શકાય એટલે તો આગાહી હોય છે આમા વળી વડાપ્રધાન કહે પુરની આગોતરી જાણ થાય તેવી ટેકનોલોજી વિકસાવો અરે ભાઇ પાણીના વહેણના દબાણ દુર કરો નદી મુળ રૂપમા રાખો ડેમના ભરાવા કાઢો આડશો દૂર કરો દરિયા તરફના પાણીના માર્ગો ક્લીયર રાખો એ ટેકનોલોજી જ છે આ નરી વાસ્તવિકતા છે.