Mysamachar.in:જામનગર
વડાપ્રધાન આજે જામનગરમાં છે. તેઓ રાત્રિરોકાણ પણ કરશે. તેથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેમ કે, આ બંને જિલ્લાઓમાં શાસકપક્ષ માટે બલ્લે બલ્લેની સ્થિતિ ન હોવાને કારણે જ વડાપ્રધાન અત્રે રાત્રિરોકાણ કરી રહ્યા છે, એવો પણ એક રિપોર્ટ છે.નરેન્દ્ર મોદી આફતને અવસર બનાવવા માટે પ્રખ્યાત છે. અનેક સંઘર્ષોમાં તેઓએ આ ઝનૂનને કારણે વિજય હાંસલ કર્યો છે. હાલારમાં પણ તેઓ ચમત્કાર સર્જશે એવું ઘણાં બધાં લોકો માની – મનાવી રહ્યા છે.
બંને જિલ્લામાં જામનગર શહેરને બાદ કરતાં સ્થાનિક મજબૂતી જોવા મળતી ન હોય, વડાપ્રધાન સારી રીતે હોમવર્ક પણ તપાસશે અને નવું લેશન તથા વિજયમંત્ર પણ આપી શકે છે, એવુંયે ચર્ચાઈ રહ્યું છે. ચુંટણી જાહેર થતા પૂર્વે આજે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે વિશાળ સભા યોજાવવા જઈ રહી છે જાણકારો આ સભાને હાલારની 7 બેઠકો માટે મહત્વની માની રહ્યા છે. અને તેની સીધી જ અસરો આગામી ચુંટણી પરિણામોની ઉલટફેરમાં મોટો ભાગ ભજવનાર બનશે