Mysamachar.in-જામનગર:
કોવિક 19 બિમારીને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આખા વિશ્વમાં આ મહામારીનો હાહાકાર મચેલ છે. આપણો ભારત દેશ અને આપણું ગુજરાત રાજય પણ આ મહામારીમાંથી બાકાત રહી શકેલ નથી.આ બિમારીનો ભોગ બનનાર ઘણા કુટુંબના સભ્યો, મોભીઓ, માતા, પિતા, સંતાનના કોઈ ને કોઈ આ બિમારીના ભોગ બનેલ હતા, અને અસંખ્ય મૃત્યુ પણ થયેલ છે. સરકાર દ્વારા કોરોના બિમારીમાં મૃત્યુ પામેલ દર્દીના પરિવારજનોને સહાય પેટે 50,000/–રૂપિયાની જાહેરાત કરવામાં આવેલ છે.
પરંતુ દુખ સાથે ધારાસભ્ય વિક્રમ માડમે રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે કે આ બિમારીમાં ભોગ બનેલ ઘણા પરિવાર તો અરજી પણ નથી કરી, પરંતુ જે પરિવારે આ સહાય મેળવવા માટે અરજી કરેલ છે તે પરિવારને પણ સહાય ચુક્વાતી નથી કોઈના કોઈ કારણસર તેમની સહાય અમાન્ય કરવામાં આવે છે.જે દર્દીને કોરોના જેવી ગંભીર બિમારી હોવાનું હોસ્પિટલ તરફથી જાણ કરેલ હતુ, જે દર્દીને કોરોના વોર્ડમાં આઈસોલેટેડ રાખી સારવાર આપવામાં આવેલ હતી, જે દર્દીનું મૃત્યુ કોરોનાની સારવાર દરમ્યાન થયેલ છે. જે દર્દીના મૃતદેહની અંતિમવિધી પણ કોરોના ગાઈડલાઈન મજબ કરવામાં આવેલ છે. આવા તમામ મૃતકના પરિવારજન સહાય માટેના હક્કદાર છે.
હાલ છેલ્લા બે વર્ષ થી કોવિડ–19 બિમારીને લઈને વેપાર રોજગાર, નોકરી અને સામાન્ય માણસનું જીવનનિર્વાહ ચલાવવાનું ખુબ જ મુશ્કેલ બનેલ છે આવા સમયમાં જે માણસનું સ્વજન તો કોરોનાની બિમારીમાં મૃત્યુ થયેલ છે તે માણસને સરકારી સહાય માટે પણ કાગળના દસ્તાવેજો પુરા પાડવા પડે છે. અને આ કાગળમાં ક્યાંક ને ક્યાંક સારવાર આપતી હોસ્પિટલો દ્વારા મૃત્યુના કારણ દર્શાવવામાં શાબ્દીક “મેડીકલ ભાષાનો ઉપયોગ કરી મૃત્યુન કારણ કોવિડ–19ના બદલે અન્ય દર્શાવે છે. જેથી સરકારી સહાયની અરજી અમાન્ય કરવામાં આવે છે.તો આવા કોરોનાકાળમાં પોતાના સ્વજનને ખોઈ બેસેલા પરિવાર સુધી સરકારી સહાય પહોંચે અને મદદ મળે તેવી વિસ્તૃત છણાવટ સાથેની રજૂઆત ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમે કરી છે.