Mysamachar.in-જામનગર:
જામનગર 78 વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય તરીકે 5 વર્ષ દરમીયાન સતત લોકોની વચ્ચે રહિને લોકોની નાની-મોટી સમસ્યાઓ તેમજ શહેરમાં અનેક જુદા-જુદા વિકાસના કામો સાથે વોર્ડના વિકાસના કામોને હમેશાં કેન્દ્રમાં રાખનાર ધારાસભ્ય સૌ કોઈના સુખદુઃખમાં પણ સાથે રહે છે.તેવા ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા દર વર્ષે લોક દરબારનું આયોજન કરે છે, અને આ લોક દરબાર દરેક વોર્ડમાં લોકોની હાજરીમાં યોજવામાં આવે છે, જયાં ધારાસભ્ય ફાળવેલી ગ્રાન્ટના અને વિકાસના કરેલા કામોનો હિસાબ મતદારોને આપે છે. તે જ રીતે આ વખતે પણ દરેક વોર્ડ વાઈઝ લોકદરબારનો આજથી મહાનુભવોની હાજરીમાં યોજવામાં આવશે.
ધારાસભ્યના લોક દરબારનો પ્રારંભ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ 4 માં તા.12/10/2022 બુધવારના રોજ સાંજે 6:00 કલાકે વિનાયક પાર્ક, પાણીના ટાંકાની બાજુમાં, કોટેચા હોલની સામે યોજવામાં આવશે. વોર્ડ નં. 5 અને 9 નો લોક દરબાર તા. 13/10/2022 ગુરૂવાર સાંજે 06:00 કલાકે ગીતા મંદિર, પારસ સોસાયટી ખાતે યોજવામાં આવશે. વોર્ડ નં. 6 નો લોક દરબાર તા.14/10/2022 શુક્રવાર સાંજે 06:00 કલાકે, પ્રજાપતીની વાડી, મયુરનગર ખાતે અને વોર્ડ નં. 8 અને 15 નો લોક દરબાર તા. 14/10/2022 શુક્રવાર સાંજે 07:30 કલાકે, સુર્યદિપ વિદ્યાલય, ગોકુલનગર, રડાર રોડ ખાતે યોજવામાં આવેશે.
વોર્ડ નં.3 નો લોક દરબાર તા.15/10/2022 શનિવાર સાંજે 06:00 કલાકે ગુર્જર સતાર સમાજની વાડી, ગાંધીનગર મેઈન રોડ ખાતે વોર્ડ નં.1 અને 2 નો લોક દરબાર તા. 16/10/2022 રવિવાર સાંજે 06:00 કલાકે ગુર્જર સુતાર સમાજની વાડી, ગાંધીનગર મેઈન રોડ ખાતે અને વોર્ડ નં. 15 અને 16 નો લોક દરબાર તા.16/10/2022 રવિવાર સાંજે 07:30 કલાકે રોકડીયા હનુમાન પુષ્કરધામ સોસાયટી ખાતે યોજવામાં આવશે. વોર્ડ નં. 10 નો લોક દરબાર તા.17/10/2022 સોમવાર સાંજે 06:00 કલાકે કોમન પ્લોટ રોયલ પાર્ક રાજપાર્ક ખાતે અને વોર્ડ નં.11 નો લોક દરબાર તા. 17/10/2022 સોમવાર સાંજે 07:30 કલાકે સતવારા સમાજ ગુલાબનગર ખાતે યોજવામાં આવશે.
આ યોજવામાં આવેલા લોક દરબારમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) જામનગર 78 ના વિધાનસભા મત વિસ્તારમાં મતદારોને ધારાસભ્ય તરીકે કરેલા વિકાસના કામો, ફાળવેલ ગ્રાન્ટનો હિસાબ, જામનગર શહેરના મુખ્ય પ્રશ્નોનો ઉકેલવા માટે અને વિકાસના કરેલા કાર્યો અંગેનો હિસાબ તેમજ શહેરીજનો દ્વારા મળેલી જુદી-જુદી રજુઆતો સુચનો અંગે કરેલી કાર્યવાહીનો હિસાબ એક ધારાસભ્ય તરીકે આપશે અને લોકો સાથે તેમના મત વિસ્તારના દરેક વોર્ડમાં પ્રજાજનો સાથે સીધોજ લોક સંવાદ કરશે. મહત્વની બાબતએ છે કે માત્ર વર્ષમાં એકવારજ નહી પરંતુ દર સોમવારે પોતાની ઓફિસ લાલ બંગલા ખાતે લોક સંપર્ક એટલે કે લોક દરબાર જેવો જ કાર્યક્રમ આપી રહયા છે અને ત્યાં રજુ થતા પ્રશ્નનો ઉકેલ સ્થળ ઉપર જ આપે છે. આગામી સમયમાં ધારાસભ્યના યોજાનારા લોક દરબારમાં એટલે કે સીધા લોક સંવાદ કાર્યક્રમમાં જામનગર 78 માં જાગૃત શહેરીજનોને જોડાવવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એ અપીલ કરી છે.