Mysamachar.in-જામનગર
હાલ કોરોના મહામારીનો કપરો કાળ ચાલી રહ્યો છે, ત્યારે લોકો એકબીજાના સંબંધીઓ પણ કોરોના પોજીટીવ હોવાનું સાંભળીને દુર ભાગી રહ્યા છે, ત્યારે જામનગર જીલ્લાના જામજોધપુર લાલપુર મત વિસ્તારના જાગૃત ધારાસભ્ય જે હંમેશા શિક્ષણ અને આરોગ્યને પ્રશ્ને સજાગ હોય છે તે આજે જામજોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાતે પહોચ્યા હતા, અને દર્દીઓ સાથે વાતચીત કરી અને પોતે પણ કોરોનામાંથી પસાર થઇ ચુક્યા હોય દર્દીઓ અને તેના સબંધીઓને હિમ્મત આપી અને જરૂર પડે પોતાનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું….
ધારાસભ્ય ચિરાગ કાલરીયાની મુલાકાત દરમ્યાન ડોક્ટરો દ્વારા કોવિડ માટે ઘટતા સાધનોની રજુઆત કરાતા ધારાસભ્ય દ્વારા સ્વખર્ચે અપાઈ જામજોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાતે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા સાથે પરાગભાઈ કાલરીયા તથા હિરેનભાઈ ખાંટ સન્ની પટેલ તેમજ અન્ય આગેવાનો દ્વારા લેવાઈ હતી તેમજ કોવિડ સેન્ટરની પણ મુલાકાત લઈ દર્દીઓની સ્થિતી મુશ્કેલી વગેરે જાણી હતી અને આશ્વસન આપેલ આ તકે ડોકટરો દવારા કોવિડ સેન્ટરમાં ખુટતા સાધન અંગે રજુઆત કરતા ગ્રાન્ટ ની રાહ જોયા વિના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ પોતાના સ્વખર્ચે ફ્લો મીટર તથા ઓક્સીજન માસ્કની કીટો વગેરે મંગાવી સામુહિક આરોગ્ય કેન્દ્રને અર્પણ કરેલ.
આ ઉપરાંત જામજોધપુર ખાતે વર્ષોથી કંડમ જેવી હાલતમાં એમ્બ્યુલન્સ છે તેને બદલે જામજોધપુર ખાતે તાત્કલિક ધોરણે નવી એમ્બ્યુલન્સ, ઓક્સીઝ્ન રીફીલીંગમાં લાગતો વધુ સમય, ટેસ્ટીંગ કીટ CHC અને phcમાં ના હોવાને લઈને તેવોએ હોસ્પિટલ ખાતેથી જીલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગને આ તમામ ગભીર મુદ્દાઓને લઈને યોગ્ય થવા રજૂઆત કરી હતી. તો અધિકારીએ પણ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા થાય અને દર્દીઓને હાલાકી ના ભોગવવાનો વારો આવે તેવી જરૂરી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.