Mysamachar.in-જામનગર
ગઈકાલે જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલ ખાતેની જૂની બિલ્ડિંગમાં આઈ.સી.સી.યુ.માં શોર્ટસર્કિટના કારણે આગજનીનો બનાવ બન્યો હતો. આ અંગે સર્વે અધિકારીઓ પદાધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ગાંધીનગર હોય ગાંધીનગરથી તત્કાલ કલેકટર રવિશંકર તેમજ અન્ય અધિકારીઓ સાથે આ વિષય પર વાતચીત કરી પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યો હતો અને આવશ્યક સૂચનો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હમેશા માટે લોકોના પ્રશ્નોની સાથે જી.જી હોસ્પિટલના પ્રશ્ને સતત માહિતી લઇ અને સમીક્ષા કરતા હોય છે.