Mysamachar.in-ગાંધીનગર
રાજ્યના સરકારી હોસ્પિટલના 2 હજાર ઇન્ટર્ન MBBS ડોક્ટર્સ સરકારથી નારાજ થયા છે. તેઓ છેલ્લા 8 મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા છે. અને તેમનો આક્ષેપ છે કે અન્ય રાજ્યો કરતા ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં MBBS ઇન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું મળે છે આ મુદ્દા પર હડતાલ પાડી છે, આ હડતાળ બાદ જ રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલ તેમજ જયંતિ રવિએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી છે. આ બેઠકમાં નીતિન પટેલે અનેક જાહેરાતો કરી છે.નીતિન પટેલ જણાવ્યું કે વિદ્યાર્થીઓની હડતાળ બિનકાયદેસર છે જે વિદ્યાર્થીઓ હડતાળ પાછી નહીં ખેંચે તો કાલથી તેમની ગેરહાજરી પૂરવામાં આવશે અને ગેરહાજર રહેશે તેને પીજીમાં એડમિશન નહીં મળે