Mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાક દિવસોથી જામનગર શહેર અને જીલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ચુંટણીમાં મૂંગુંમંતર બનેલું જામનગર મનપાનું તંત્ર ફરીવખત લોકો પર ખૌફ જમાવવા નીકળી પડ્યું છે, એવામાં લોકોએ સતર્કતા દાખવી અને દંડ ભરવાથી બચવું જોઈએ કેમ કે જામનગર મનપાએ 3 દિવસમાં કરેલ ડ્રાઈવ દરમિયાન 42000થી વધુનો દંડ કર્યો વસુલ છે. જેમાં માસ્ક નહિ પહેરનાર 26 લોકો પાસેથી 26000, સોશ્યલ ડિસ્ટન્સના કેસ કરીને 16700 રૂપિયા દંડની વસુલાત કરી હોવાનું સતાવાર જાહેર કર્યું છે.