Mysamachar.in-જામનગર
જામનગર મનપામાં અઢી દાયકાથી ભાજપનું શાશન અકબંધ છે, અને વિપક્ષ કોંગ્રેસે વારંવાર વિરોધ કરી પ્રજા પડખે છીએ તેવા પ્રયત્ન કર્યા પરંતુ ચોક્કસ વિસ્તાર સિવાય કઇ ખાસ તેની અસર નથી વળી સંગઠન પણ અત્યાર સુધી તો મજબુત નથી હવે થાય તો નવાઈ નહી…હવે લડત આપશે પરંતુ ઉપરથી ચાલ્યુ આવે છે તેમ ક્યાક ક્યાક અંદરો અંદર ની સમજુતી મુજબ ઉમેદવારો રાખે તો નવાઇ નહી કેમકે આમ પણ જામનગરની પ્રજાનુ કોઇ સુખાકારીનુ મોટુ કામ કે કાયમી સુવિધા કોંગ્રેસ વિપક્ષમા રહી વિરોધ કરી કરાવી ન શકતા પ્રજા ઉપર અસર નથી કરી શક્યા હા તેમના લગત વિસ્તાર પુરતા ક્યાય બીજા કારણસર ક્યાક પાર્ટી આદેશ મુજબના વિરોધ કરી બેસી રહ્યા છે.
તેમજ જનરલ બોર્ડની રાડારાડ પ્રજા સુધી સો ટકા પહોંચી નહી માટે લોકપ્રિયતાના ગ્રાફ ઉચો ચડાવી નથી શક્યા હા ભાજપ પ્રત્યેના ઉકળાટના મત ચોક્કસ મળશે માટે એવરેજ ટકાવારી ગત વખત થી મતરેશીયો વધે તો નવાઇ નહી તેમ એનાલીસ્ટો માનૈ છે અને ઉમેરે છે કે જનરલ બોર્ડમા બ્રાંચોમા કે બીજે ક્યાય બરાડા પાડ્યા તેનાથી પ્રજાનુ કઇ ભલુ થયુ છે? કે કોઇ બીજા હેતુ થી જ બરાડા પડાયા હતા?
– મતદાન ની કુલ સંખ્યામાંથી ભાજપ તરફી ઘટ કોંગ્રેસ પ્રત્યે વધારો….આશ્ર્ચર્ય ….મંથન કરવુ જરૂરી
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી યોજાયા બાદ ભલે અઢી દાયકા જેટલા સમયથી ભાજપનું શાશન હોય પરંતુ કુલ મતદાન થાય તેમાંથી ક્યા પક્ષને કેટલા ટકા મત મળ્યા? તે પક્ષની લોકપ્રિયતા અથવા તે વિસ્તારમા વિકલ્પ તરફ જવાની પ્રજાની માનસિકતા દર્શાવે છે, કુલ મતદાન થાય તેમાંથિ ક્યા પક્ષ ને કેટલા ટકા મત મળ્યા?? તે પક્ષની લોકપ્રિયતા અથવા તે વિસ્તારમા વિકલ્પ તરફ જવાની પ્રજાની માનસિકતા દર્શાવે છે, ભાજપે 2000 ની ચુંટણીમાં 37.5% 2005માં 47.71% 2010 માં 44.48% તો 2015માં 37.9% મળેલા મતદાનની ટકાવારી સામે કોંગ્રેસે 2000માં 18.8% 2005માં 28.41% 2010માં 32.34% જયારે 2015 માં 32.6% મતો મેળવ્યા છે, આમ માંડ માંડ બહુમતી મળી જે ખાસ કઇ ભાજપ માટે હરખાવા જેવુ નહી વિકલ્પ ન હોય ત્યારે પણ મત મળતા હોય ઘણીવાર અનેક પરિબળ કામ કરતા હોય માટે ભાજપે મંથન કરવા જેવુ છે.