Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા પંચાયતની બાંધકામ શાખાનો વહીવટ ખાડે ગયેલ છે, છાશવારે અનેક વિસ્તારોમાંથી ફરિયાદો અને આક્ષેપ પણ થતા રહે છે. જો કે ખાડે ગયેલ આ વહીવટ સુધારવા બાંધકામ સમિતિના ચેરમેન અથાગ પ્રયાસો કરી રહ્યા છે. થોડા સમય પૂર્વે જીલ્લાના એક ધારાસભ્યએ પણ આવેલ નવા અધિકારીને આવતા વેંત જ કોઈ ખાસ મુદાઓને ચેમ્બરમાં બોલાવીને ખખડાવ્યા પણ હતા, તો તાજેતરમાં જ લાલપુર તાલુકાના રસ્તાના કામોને લઈને વિવાદ થયો હતો, તો બીજી તરફ એક આરટીઆઈ એક્ટીવીસટ્ દ્વારા પણ બાંધકામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને સાંકળતી અને છેલ્લા બે વર્ષના કામોની તપાસ માંગતી અરજી પણ કરી છે.
એવામાં બાંધકામ શાખાનો કોન્ટ્રાકટરો પ્રત્યેના પ્રેમનો ઉભરો ઉછળીને બહાર આવ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ગેરેંટી પીરીયડ પૂરો ના થયો હોય ત્યાં જ કેટલાક કોન્ટ્રાકટરોની ડીપોજીટ છૂટી કરી દેવામાં ક્યાં અધિકારીનું ભેજું કામ કર્યું અને આ નિયમો મુજબ થયું છે કે નિયમોની અવગણના કરીને તે સમગ્ર મામલો તપાસ માંગી લેતો છે, રસ્તાઓ સહિતના જે તે કામો ગેરેંટી પીરીયડમાં હોય તેવા રસ્તાઓમાં સામાન્ય વરસાદ અને બન્યાના ટૂંકાગાળામાં જ કામોની ગુણવતા અંગે સવાલો ઉઠ્યા હોવાનું જાણવા છતાં “સાહેબે” મન મોટું રાખીને તો કોન્ટ્રાકટરની ડીપોઝીટ છુટી નથી કરી દીધીને.?? મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શાખાના નક્કી કરેલા તમામ નિતી નિયમોને નેવે મુકી અને કેટલાક કોન્ટ્રાકટરોની ડીપોઝીટ રીલીઝ એટલે કે નિયમોને અનુસર્યા વિના છૂટી કરી દેવાનો મામલો જીલ્લા પંચાયતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,
સામાન્ય રીતે જે તે કોન્ટ્રાકટરની ડીપોઝીટની રકમ કામની સમય મર્યાદા ગેરેટીં પીરીયડની જ્યાં સુધી હોય ત્યાં સુધી આ રકમ સરકારની એટલે કે જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં જમા રહે છે. અને આ ડીપોઝીટની રકમ ગેરેંટી પીરીયડ બાદ જ છૂટી કરવાની હોય છે, જો કે જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા કેટલીક એજન્સીઓના વિવિધ પ્રકારના કામો કરેલ હતાં. જેમાં ખાસ કરીને રોડ અને રસ્તા અને પુલના કામો કરેલ હતાં. આ કામો તેની ગેરેટીં પીરીયડ પહેલા જ અમુક કામોને લઈને લેખિત અને મોખિક ફરિયાદો ઉઠી હોવા છતાં કોન્ટ્રાકટરના ગેરેટીં પીરીયડમાં આવતો હોય જેથી કોન્ટ્રાકટરના ખર્ચે અને જોખમે કામો શરૂ કરવા જણાવાયું હતું.
ત્યારે રીપેરીંગ કામ કોન્ટ્રાકટર પાસે કરાવવાને બદલે ઠેકેદારોના પીઠું બનીને તેની ડીપોઝીટ કરી દેવામાં આવી છે, આ મામલે વધુ વિગતો મેળવવા અને શા માટે ડીપોજીટ વહેલી રીલીઝ કરવામાં આવી તે અંગે my samachar દ્વારા તટસ્થતાના ભાગરૂપે બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેર રમણલાલ ડામોરના ફોન પર વાંરવાર અલગ અલગ સમયે પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો પણ તેવોએ ફોન ઉપાડવાની તસ્દી ના લીધી હોય આ મામલે તેમની પ્રતિક્રિયા જાણી શકાઈ નથી.
-બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.ગાગિયાની my samachar સાથે સીધી જ વાત…
આ મામલે અધિકારીએ ફોન પર જવાબ આપવાની તસ્દી ના લેતા જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.ગાગિયાની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અમે પરિપત્ર મુજ્બ યોગ્ય માપદંડોને આધીન છૂટી કરવા યોગ્ય ડીપોજીટ હતી તે ડીપોજીટ છૂટી કરી છે, અને તમામ કોન્ટ્રાકટરોની ડીપોજીટ રીલીઝ નથી કરી,અને તેવોએ પણ સ્વીકાર કર્યો કે અધિકારી હાજર રહેતા નથી.અને વધુ રજા પર જ હોય છે.