Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારો જાહેર થયા પછી કેટલાય ઉમેદવારોમાં અસંતોષ જોવા મળ્યો, કોઈએ પક્ષપલટા કર્યા તો કોઈ અંદર રહીને નિષ્ક્રિય થઇ ગયા..પણ શહેર ભાજપની ઉદારતાને દાદ ત્યારે તેવી જયારે આજે તેનો એક કિસ્સો સામે આવ્યો… વાત એવી છે કે આજે જામનગર ખાતે મુખ્યમંત્રી વિજયરૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવી રહ્યા છે, તેને આવકારતા બેનરો શહેરભરમાં હોદેદારોના લાગ્યા છે, ત્યારે શહેરમાં એક બેનર એવું જોવા મળ્યું જે આશ્ચર્ય પમાડનારું હતું…
વોર્ડ નંબર 11 કોંગ્રેસપક્ષમાં થી પુનીત મનસુખભાઈ ખાણધર ઉમેદવાર છે. તેવોના પિતા મનસુખભાઈ પણ આ વિસ્તારના ભાજપ પક્ષમાંથી કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચુક્યા છે, ત્યારે હાલ પુત્ર કોંગ્રેસમાંથી લડી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે પિતા તેને મદદ કરે છતાં પણ મનસુખભાઈ ખાણધર વોર્ડપ્રભારી છે તેવું બેનર લાગતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું કે તેવો કોઈ વોર્ડના પ્રભારી નથી છતાં તેને વોર્ડ પ્રભારીના હોદાવાળા બેનર જોવા મળતા આશ્ચર્ય સર્જાયું હતું.
-શું કહે છે મનસુખ ખાણધર…
આ મામલે જયારે મનસુખભાઈની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેણે કહ્યું કે હું હવે ભાજપમાં સક્રિય નથી, અને મેં રાજીનામાં માટે વાત પણ કરી છે, કારણ કે મારો પુત્ર કોંગ્રેસમાંથી લડી રહ્યો છે, અને હું કોઈ વોર્ડનો પ્રભારી નથી, અને હું રાજીનામું આપી દેવાનો છું કારણ કે મારે તો મારા છોકરા માટે કામ કરવું પડે, અને આ બેનર લાગ્યું તેની મને ખબર નથી અને કોઈ વોર્ડનો પ્રભારી પણ નથી
-શું કહે છે શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા
મનસુખભાઈએ રાજીનામું આપ્યું નથી, પણ તેવો નિષ્ક્રિય છે, અને આ મારા ધ્યાનમાં નથી હું આ બેનર કઢાવી નાખું છું.