Mysamachar.in-જામનગર
દેશમાં કોરોના પહેલા અનેક ભયંકર બીમારીઓ આવેલ અને સમયાંતરે એની રસી-વેક્સીનની શોધ કરવામાં આવેલ. પરંતુ આજ સુધી કોઇપણ બીમારીમાં ફરજીયાત રસી-વેક્સીનની અમલવારી કરવામાં આવેલ નથી. કોરોના વેક્સીન લીધા પછી કોરોના થશે નહી એવી કોઈ ગેરેંટી નથી ત્યારે હાલે જયારે કોરોના બીમારીએ દેશમાંથી લગભગ સંપૂર્ણ વિદાય લઇ લીધી છે. ત્યારે જાહેર તેમજ ધંધાના સ્થળોએ કોરોના વેક્સીન લીધેલ ન હોય તેવા લોકોને જાહેર સ્થળોએ પ્રવેશબંધીથી લોકોને દેશના બંધારણ-કાયદાના ભાગ-3ના અનુચ્છેદ 14 થી 18ના 15 મુજબ આપવામાં આવેલ નાગરિક સમાનતાના મૂળભૂત અધિકારોનો ભંગ થતો જોવા મળે છે. તેમજ નાગરિક સ્વતંત્રતાના અધિકારના અનુચ્છેદ 19 થી 22 અન્વયે લોકોને દેશના કોઇપણ ભાગમાં એકઠા થવાની, મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ધંધો-રોજગાર કરવાની સ્વતંત્રતા પર તરાપ સમાન છે. લોકોના વિકાસ માટે તેમને મળેલ અધિકાર મુજબ સારા સ્વાસ્થ્ય, શિક્ષણ, આજીવિકા, અને સ્વચ્છ પર્યાવરણ આપવું જરૂરી છે. જેનો મોટાભાગે અભાવ જોવા મળે છે.
આજના ડીજીટલ યુગમાં લોકો પોતાનું અને પોતાના પરિવારના સારા-નરસાનું ખુબ સારી રીતે સમજી-વિચારી શકે છે ત્યારે તે કોઇપણ સંજોગોમાં પોતાનો કે પોતાના પરિવારના કોઈ સભ્યનો જીવ જોખમમાં મુકવા માંગતો ન હોય એ સ્વભાવિક છે. ત્યારે જાહેર સ્થળો અને ધંધાના સ્થળોએ ફરજીયાત કોરોના વેક્સીનનો નિયમ શા માટે ? ઉપરાંત, હાલમાં કોરોના બીમારીએ દેશમાંથી જયારે મોટાભાગે સંપૂર્ણ વિદાય લીધાને ઘણો સમય થવા છતાં હજુ પણ વેક્સીનની 100% કામગીરી થયેલ નથી ત્યારે વેક્સીન લીધેલ હોય ન હોય તેવા લોકોને શું તંત્ર કોરોના ફેલાવનાર સ્પ્રેડર સમજે છે ? આવા લોકોને કોઈ કારણસર તાત્કાલિક જાહેર તેમજ ધંધાના સ્થળે ફરજીયાત જવાની જરૂરિયાત ઉંભી થાય તો તેના માટે સરકાર પાસે શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે કે કરવામાં આવેલ છે કે કેમ ? હાલે જયારે ધંધા-રોજગારમાં મંદી પ્રવર્તી રહી છે અને વરસાદે પણ ખુબ મોટી તારાજી સર્જી છે ત્યારે જાહેર તેમજ ધંધાના સ્થળે વેક્સીન લીધેલ હોય તેવા લોકોને જ પ્રવેશ આપવામાં આવે તે બાબત કેટલે અંશે વાજબી છે ?
હાલ, જ્યાં-જ્યાં વેક્સીન સેન્ટર આવેલા છે ત્યાં વર્તમાન વરસાદની સ્થિતિને ધ્યાને લઈ વેક્સીન લેવા આવનાર માટે બેસવા-ઉભવાની અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની લોક માંગ છે. અને વેક્સીનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવાની પણ લોક માંગ છે. તેમજ ખાસ કરીને કોરોના મહદઅંશે નાબુદ થયેલ છે ત્યારે ફરજીયાત કોરોના વેક્સીન ફરજીયાત માસ્ક પહેરવામાંથી અને માસ્ક અંગેના દંડની અમલવારી પણ તાકીદની અસરથી રદ કરવાની તાતી જરૂરિયાત છે. હાલે પણ કોરોના કામગીરીમાં રોકાયેલ તમામ સ્ટાફને તેમની જૂની રાબેતા મુજબની કામગીરીમાં પરત મોકલવામાં આવે જેથી જે તે કામગીરી સ્ટાફના લીધે બાકી હોય તેવી કામગીરીમાં વેગ આવે. તેમજ જાહેર સ્થળોએ ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ કોરોના વેક્સીન લીધેલ છે કે કેમ એ પણ તપાસનો વિષય છે. અને 100% વેક્સીન લીધેલ વિભાગોની બહાર આવી માહિતી પ્રદર્શિત કરવી જોઈએ. તે ઉપરાંત કોરોનાને અનુલક્ષીને હાલમાં પણ જે રાત્રી કર્યું અમલમાં છે તેમાંથી માત્ર (વેપાર ધંધાને બાદ કરતા) લોકોને મુક્તિ આપવામાં આવે જેથી લોકો રાહતનો શ્વાસ લઇ પોતાના કામ કરી શકે.