Mysamachar.in-જામનગર
કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવી શકાય તે માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવમાં આવ્યું છે, લોકડાઉનને પગલે લોકોને આવશ્યકતા સિવાય ઘરની બહાર નીકળવાની બિલકુલ મનાઈ છે, તેમ છતાં પણ કેટલાક લોકો કોઈ ચોક્કસ કારણો વિના ઘરની બહાર નીકળે છે, તેની સામે પોલીસ દ્વારા જાહેરનામાં ભંગ ઉપરાંત જે વાહન લઈને નીકળે છે વાહન ડીટેઈન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે, ગઈકાલે જ જામનગર પોલીસે 227 વાહનોએ ડીટેઈન કરી દીધા છે, તો એક આંકડા પ્રમાણે અત્યારસુધીમાં જામનગર પોલીસે લોકડાઉન પીરીયડમાં કુલ 1200 થી વધુ વાહનો ડીટેઈન કર્યા હોવાનું પણ સામે આવે છે. એટલે કે હવે જયારે લોકડાઉન બાદ આર.ટી.ઓ કચેરી શરુ થશે ત્યારે ત્યાં દંડ ભરનાર લોકોની લાઈન લાગશે અને સરકારની તિજોરીમાં લાખોની આવક લોકડાઉનને કારણે થશે