Mysamachar.in-ગાંધીનગર
રાજ્યની છ મહાનગરપાલિકા, 31 જીલ્લા પંચાયત 55 નગરપાલિકા, અને 231 તાલુકા પંચાયત સહિતની ચુંટણીઓની મુદ્દત પૂર્ણ થઇ રહી છે, પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર પણ યથાવત છે, એવામાં આજે રીતે સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે તે મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ હાલ પુરતી ત્રણ માસ પુરતી મુલતવી રાખવામાં આવી છે, ત્રણ માસ બાદ પણ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ક્યારે ચુંટણીઓ યોજવી તે અંગેનો નિર્ણય થશે તેમ જાણવા મળે છે.