Mysamachar.in:જામનગર
આપણે બેન્કના વ્યવહારોને સુરક્ષિત માનતા હોઈએ છીએ પણ ખરેખર કેટલાક કિસ્સાઓ એવા સામે જેમાં બેંક કર્મચારી કે અધિકારી દ્વારા જ ગ્રાહકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાટ કરવામાં આવતા હોય છે, આવો જ એક કિસ્સો જામનગરમાં સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સામે આવ્યો છે. પવનકુમાર પરમેશ્વર ભારતી જે ભારત ફાઇનાન્શીયલ ઇન્ફ્લુઝન બ્રાંચ ઇન્ડુસલેન્ડ બેંકમા ક્લસ્ટર મેનેજર તરીકે ફરજ બજાવે છે તેને સીટી એ ડીવીઝનમાં બેન્કના જ લોન ઓફીસર અને ભાવનગરના વતની યશરાજસિંહ ઝાલા સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જેમાં યશરાજસિંહ ઝાલાએ બે કસ્ટમરોના એકાઉન્ટ ખોલાવી જેમા લોનની અપાતી વેલકમ કીટમાથી એટીએમ કાર્ડ તથા તેના પાસવર્ડનુ કવર ગ્રાહકોને ન આપી આ બન્ને કસ્ટમરોના ખાતામાથી તેમની જાણ બહાર એટીએમ કાર્ડ વડે પચાસ-પચાસ હજાર રૂપીયા મળી કુલ એક લાખ રૂપિયા ઉપાડી લઇ અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ બાદ પીએસઆઈ આઈ.આઈ.નોયડા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.