Mysamachar.in-જામનગર
સરકાર તો અનાજ પુરતું પહોચાડે છે, પણ જામનગર શહેર અને જીલ્લામાં પુરવઠા વિભાગના અમુક કર્મચારીઓની મીઠી નજર હેઠળ સસ્તા અનાજના દુકાનદારો મનમાની ચલાવે છે, અને એટલી હદ સુધી મનમાની ચલાવે છે કે લોકોની આંતરડી કકડી ઉઠે છે, સસ્તા અનાજના અમુક દુકાનદારોની મનમાનીનો ભોગ નિર્દોષ કાર્ડ ધારકો જે ખરેખર અનાજ મેળવવા ઈચ્છે છે તે બને છે, આજે આવું જ બન્યું ગુલાબનગર વિસ્તારમાં જ્યાં એક વોર્ડ સંચાલકની મનમાની સામે લોકો એકઠા થયા..જોતજોતામાં આ વિસ્તારના સક્રિય કોર્પોરેટર અને જામનગરના ડેપ્યુટી મેયર તપન પરમાર પણ ત્યાં પહોચી આવ્યા અને તેને લોકોની સમસ્યા સાંભળી જીલ્લા પુરવઠા અધિકારીને તપાસ કરાવવા પણ કહ્યું…
લોકોનો રોષ અને આંતરડી કકડી રહી છે, છતાં પરવાહ નથી કરવામાં આવતી એવું પણ જાણવા મળ્યું કે આ વોર્ડમાં કાયમી ફરિયાદ રહે છે છતાં ધ્યાન આપવામાં આવતું નથી આજે પણ 50 થી વધુ લોકોના નામો એકીસાથે સિસ્ટમમાં નથી બતાવતા તો તેને અનાજનો જથ્થો નહી મળે..?? આ વોર્ડ સંચાલક ગયા વર્ષે લોકડાઉન દરમિયાન વિવાદમાં આવેલ…આજે પણ આ વોર્ડમાં ઓછું અનાજ મળવાની સાથે, વોર્ડમાં નિયમ મુજબ પ્રિન્ટર, કે અનાજનું પ્રમાણ કેટલું આપવામાં આવશે તે અંગેના બોર્ડ જોવા મળ્યા નથી જેની કબુલાત ખુદ વોર્ડ સંચાલક દીલીપગીરી કરે છે ત્યારે પુરાવો સ્પષ્ટ છે હવે પુરવઠા વિભાગ હવે શું પગલા લેશે તે જોવાનું છે.
VIDEO જોવા ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ my samachar.in ની વિઝીટ કરો