Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજકોટ સ્થિત પશ્ચિમ રેલ્વેના DRMને લેખિત રજૂઆત કરી છે કે જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના શિક્ષણના હબ ગણાતા અલીયા ગામે વર્ષોથી સૌરાષ્ટ્ર મેલ,જનતા એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, પોરબંદર–મુંબઈ અને ઓખા- સોમનાથ તેમજ લોકલ ટ્રેનો ઉભી રહેતી હતી. પણ ઘણા સમયથી રેલ્વે તંત્ર દ્વારા આ તમામ ટ્રેનોનો સ્ટોપ બંધ કરવામાં આવેલ છે. અલીયા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગરીબ તેમજ મધ્યમ વર્ગ અને વેપારી વર્ગના મુસાફરોને ખુબજ હાલાકી ભોગવવી છે. રેલ્વે ટ્રેનની મુસાફરી ખુબજ ઉપયોગી તેમજ આર્થિક રીતે પરવડે તેવી છે. તેમજ ઓખા -સોમનાથ ટ્રેન સોમનાય દર્શને જતા યાત્રીઓ માટે જે કેન્દ્ર સરકારનો યાત્રાઘામને જોડવાનો જે સારો હેતુ છે. તે આ ગ્રામ્ય વિસ્તારના ધાર્મિક યાત્રાળુઓને લાભ મળતો નથી. વર્ષો પહેલા અલીયા રેલ્વે સ્ટેશન પર સૌરાષ્ટ્ર મૈલ ટ્રેનમાં ૬ રિઝર્વેશન ટીકીટ કોટા તો તે બંધ કરવામાં આવેલ છે. તે તાત્કાલિક ચાલુ કરવા જોઈએ. આ ટ્રેનોનો સ્ટોપ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તો અલીયા તેમજ અલીયા રેલ્વેસ્ટેશનના આજુબાજુના ગ્રામ્ય મુસાફરોને આનો લાભ મળશે અને કેન્દ્ર સરકારની રેલ્વે દ્વારા ગ્રામ્ય પ્રજાને સમયસર આર્થિક રીતે પરવડે તેવી મુસાફરી કરાવાનો હેતુ વાસ્તવિક રીતે ઉપયોગી સાબિત થશે તેમ રજૂઆતના અંતે જણાવ્યું છે.