Mysamachar.in:જામનગર
ગૃહિણીઓ માટે ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે, રસોઈ દરમિયાન ક્યારેય ગેસની નળી આસપાસ આગ લાગે તો જરા પણ વિચાર્યા વગર તેનું રીપેરીંગ કરાવી લેવું જોઈએ, જામનગરના દરેડ નજીક ગેસના બાટલાની નળી લીક થયા બાદ લાગેલ આગની જાળમાં 3 બાળકો સહીત 5 લોકો દાજી જતા તમામને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દરેડ જીઆઇડીસી ફેસ-3 માં ખોલીમાં રહેતા મજૂર પરિવારની મહિલા ગત સાંજે રસોઇ બનાવી રહી હતી. ગેસના બાટલાની નળી લીકેજ થતાં આગની જવાળાઓ થતા સુમેરા પઠાન, કાલુ પ્રસાદ, અમન પઠાન, મુનેકા પઠાન, દાઝી ગયા બાદ આસપાસના સ્થાનીકોએ તમામને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતાં. જે પૈકી મુનેકા પઠાન ગંભીર રીતે દાઝી ગયો હતો. હાલ તમામની જીજી હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.