Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં રેતીના ધંધામાં આ એક જ માસમાં બે હત્યાની ઘટનાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે, ગત રવિવારે પણ જામનગરના ઠેબા બાયપાસ નજીક એક ક્ષત્રીય યુવાન નું ઢીમ ઢાળી દેવાયાની ઘટનામાં ડિસમિસ થયેલ પોલીસ કર્મચારી અને તેના ભાઈ સામે હત્યા અને પૂર્વયોજીત કાવતરુ ઘડવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બંનેની જામનગર એલસીબી ટીમે ધરપકડ કરી લીધી છે, ફરીયાદી ગીરીરાજસિંહ મહોબતસિંહ જાડેજા તથા યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા સાથે આરોપીઓ ઇશ્વરસિંહ સતુભા જાડેજા, વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજાને અવાર નવાર એકબીજાના ડમ્પરના ડ્રાઇવરોની અદલા બદલી બાબતે મનદુ:ખ ચાલતું હોય, તેમજ પ્રદિપસિંહ સોઢાનું એકાદ વર્ષ પહેલા પાકીટ આરોપી ઇશ્વરસિંહ જાડેજાના માણસએ લઇ લીધેલ હોય, જે બાબતે પ્રદિપસિંહ સોઢા સાથે ઇશ્વરસિંહ જાડેજાને મન દુઃખ ચાલતા ધમકી આપેલ હતી,
એવામાં ગત તા.23/05/2021 ના જામનગર કાલાવડ રોડ ઉપર ઠેબા ચોકડી પાસે ગોકુલ વે બ્રીજ પાસે ફરીયાદી ગીરીરાજસિંહ જાડેજા તેમના ભાઇ યુવરાજસિંહ જાડેજા હાજર હતા આ દરમ્યાન આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા પોતાના કબજાની સ્વીફટ કાર નંબર GJ.10.DA.0056 લઇ આવી ખુરશી ઉપર બેઠેલ યુવરાજસિંહ જાડેજા સાથે સ્વીફટ કાર અથડાવી ગળાના ભાગે છરીનો ઘા મારી તથા આરોપી વિરભદ્રસિંહ જાડેજાએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી આરોપીઓએ યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા ખૂન કરી નાશી ગયેલ હતા. જેઓ વિરૂધ્ધ જામનગર પંચ બી ડીવી. પો.સ્ટે. ગુન્હો નોંધાયેલ હતો.
આ ખૂનનો બનાવ બનતા ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા દીપન ભદ્રનની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી અને મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. પીએસઆઈ કે.કે.ગોહિલની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો આરોપીઓ પકડી પાડવા માટે કાર્યરત કરવામાં આવેલ હતી.
ઉપરોકત બન્ને ટીમો આરોપીની તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના અજયસિંહ ઝાલા તથા યોગરાજસિંહ રાણા હકિકત મળેલ કે ગુનાના આરોપીઓ પડધરી હાઇવે રોડ તરફથી ધોલ તરફ એન્ડેવર કાર નંબર GJ. 3. CR. 4440 મા આવી રહેલ છે જે આધારે ધોલ રાજકોટ હાઇવે રોડ ઉપર સણોસરા પાટીયા પાસે વોચમાં દરમ્યાન હકિકત વાળી એન્ડેવર કાર આવતા પીએસઆઈ કે.કે.ગોહીલ તેમજ બી.એમ. દેવમુરારીએ સ્ટાફ સાથે હકિકત વાળી કારને કોર્ડન કરી આરોપીઓ ઇશ્વરસિંહ સતુભા જાડેજા વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા રહે.બન્ને નીર્મલનગર, જામનગર મુળ ગામ દોઢીયા તા.જી જામનગરનાઓ પકડી પાડી બન્ને ઇસમો તેમજ તેમના હસ્તકના મોબાઇલ ફોન તેમજ ફોર વ્હીલ કાર હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી થવા માટે પંચ બી ડીવી પોલીસને સોપી આપેલ છે.આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા વિરૂધ્ધ અગાઉ મારામારી, રાયોટીંગ, જુગાર વિગેરેના 7 ગુના નોંધાયેલ છે.
કાર્યવાહી પીઆઈ કે.જી.ચૌધરીની સુચનાથી પીએસઆઈ કે.કે.ગોહીલ તથા બી. એમ. દેવમુરારી તથા આર. બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ભગીરથસિંહ સરવૈયા, ભરતભાઇ પટેલ, યશપાલસિંહ જાડેજા, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, દિલીપભાઇ તલવાડીયા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ જાડેજા, પ્રતાપભાઇ ખાચર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.