Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જામજોધપુરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ સ્થળોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપનાર ગેન્ગના ચાર શખ્સો સુધી પહોચવામાં અંતે જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફને સફળતા મળી છે, જેમાં ગઇ 07/09/2021 ના રોજ રાત્રીના જામજોધપુર ટાઉનમા “જલારામ મંદિર ની ઓફિસ”મા ચોરીના બનાવ બનેલ જે અંગે ફરીયાદી વિજયભાઇ ગાંડાલાલ સોઢાએ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી, આ સિવાય પણ અન્ય ચોરીના બનાવોને લઈને જામનગર એલ.સી.બી. પી.આઈ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ ટીમના પીએસઆઈ તેમજ સમગ્ર ટીમ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે તપાસમાં હતા તપાસ દરમ્યાન જામનગર, રાજકોટ, દ્વારકા, જીલ્લામા મંદિર ચોરીની એમ.ઓ વાળા સક્રિય એમ.સી.આર ઇસમોને ચેક કરવામા આવેલ તેમજ ટેકનીકલ એનાલીસીસ કરવામા આવેલ હતુ,
દરમ્યાન એલસીબીના માંડણભાઇ વસરા તથા વનરાજભાઇ મકવાણા નિર્મળસિંહ જાડેજાને ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે જામજોધપુર ટાઉનમાં અલગ અલગ ચાર સ્થળોની ચોરીમા પરપ્રાતિય ઇસમોની સંડોવણી હોવા અંગેની હકિકત આધારે જામજોધપુરના ધ્રાફાગામ જતા રોડ ઉપરથી ચાર ઇસમો જેમાં બે કાયદાથી સંધર્ષિત કિશોર જયારે અન્ય બે સુરજભાઇ છગનભાઇ બાંમણીયા અને કાન્તી શકરાભાઇ પલાસને પકડી પાડી તેઓના કબ્જામાથી ચોરીમા ગયેલ મુદામાલ 17,000 નો પકડી પાડી તેની સઘન પુછપરછ કરતા તેવોએ દોઢેક મહિના પહેલા જામજોધપુરમા ગીંગણી રોડ આવેલ જલારામ મંદિરની ઓફિસમા” રોકડ રકમની ચોરી, જામજોધપુરમાં શ્રી રામ ટાયર્સ” ની દુકાનમા રોકડ રકમની ચોરી, જામજોધપુરમાં “ધવલ ગેરેજ” ના તાળા તોડી ચોરીની કોશિષનો, તેમજ જામજોધપુરમા “માઘવ ખોળ કપાસીયાની દુકાનમાં ચોરીની કોશિષની કબુલાત આપેલ છે.