Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામે થોડા દિવસો પૂર્વે મંદિર અને બંધ મકાનને ટાર્ગેટ બનાવી લાખોની મતા ચોરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો, કાલાવડ તાલુકાના જસાપર ગામમાં તસ્કરોએ ખોડિયાર માતાજીના મંદિર અને બંધ રહેણાક મકાનમાં ત્રાટકી રૂ. 8 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની જુદી જુદી બે પોલીસ ફરિયાદ નોંધાઈ થોડા દિવસો પૂર્વે નોંધાયા બાદ કાલાવડ પોલીસ ટીમ દ્વારા આ ગુન્હો ઉકેલવા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી હતી જે દરમ્યાન સ્ટાફને સંયુક્ત બાતમી મળેલ કે..
જશાપર ગામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઇસમ જશાપર ગામમાં હાજર હોય અને શંકાસ્પદ હીલચાલ કરતો હોય જે હકીકતના આધારે તુરંત જ જશાપર ગામે પહોંચી ઇસમને હસ્તગત કરી નામ-ઠામ પુંછતા અરૂણ ગોરધનભાઇ ઉર્ફે ધમાભાઇ ચૌહાણ હાલ રહે.-હિરપરા સ્કુલની પાછળ,ઝુપડપટ્ટીમાં કાલાવડ મુળ રહે.-રેલ્વે સ્ટેશનની બાજુમાં,મહેસાણા વાળો હોય જેની પુછપરછ કરતા ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી સાત નંગ ચાંદીના સાકળા કિ.રૂ.4500-ના કબ્જે કરવામા આવેલ બાદ કાલાવડ ટાઉન પોલીસની ટીમ તથા LCB. એલ.સી.બી ટીમ દ્વારા આરોપીની સઘન રીતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર આરોપીએ પાંચ સહ આરોપીઓ સાથે મળી ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત આપેલ અને મુદામાલ કાલાવડમાં અલગ-અલગ સોનીની દુકાને વેંચેલ હોવાની કબુલાત આપતો હોય જેથી આરોપી તથા ચોરીનો મુદ્દામાલ સોના ચાંદી ખરીદનાર વેપારી પાસેથી મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મદામાલ –
ચાંદીના સાંકળા નંગ-07 કિ.રૂ.-4500
સોનાનો ઢાળીયો 3 ગ્રામ કિ.રૂ.-12,000
સોનાનો ઢાળીયો 153 ગ્રામ 700 મીલી કિ.રૂ.-4,59,000
ચાંદીનો ઢાળીયો 164 ગ્રામ 350 મીલી કિ.રૂ.-4930
ચાંદીનો ઢાળીયો 88 ગ્રામ 840 મીલી કિ.રૂ.-2665
ચાંદીનો ઢાળીયો 96 ગ્રામ કિ.રૂ.-3000
કુલ મુદ્દામાલ કિ.રૂ.-5,94,095
-સોના-ચાંદીની ખરીદી કરનાર આરોપીઓ
ધર્મેશભાઇ હેમતભાઇ પાલા રહે.-સિનેમારોડ ગરબીચોક એચ.ડી.એફ.સી બેંક પાછળ કાલાવડ જી જામનગર હિતેશકુમાર છોટાલાલ કડેચા રહે.- હવેલી શેરી મેઇન બજાર કાલાવડ રહે કે.કે.વી હોલ પાસે રોયલપાર્ક શેરી નં-05 રાજકોટ
અનીલભાઇ હેમતભાઇ પાલા રહે.-ગોવિંદપરા-૧ કોર્ટની સામેની ગલી કાલાવડ જી.જામનગર
-પકડવા પર બાકી આરોપીઓ
દિનેશભાઇ રણજીતભાઇ રાઠોડ
કડકસિંગ
ભીખાભાઇ
ક્રિષ્નાભાઇ
અર્જુન બધા રહે.મહેસાણા