Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ટી.પી.ઓ. શાખા વગોવાયેલી શાખા છે, એવામાં આ ટીપીઓ શાખા અને તેના કંટ્રોલીંગ સહિતના અધિકારીઓને એવો તો “પવન” છે કે ઓડીટ વિભાગ તો શું નાક દબાવે તે સિવાય કોઈને ગાંઠતા નથી. તાજેતરમાં જ મનપાનો વર્ષ 2019/20 નો અહેવાલ જાહેર થયો છે, તેમાં દરવર્ષની જેમ ટીપીઓ શાખાની મનમાની ઓડીટ વિભાગને પૂર્તતાઓ ના કરવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આદેશોને ઘોળીને પી જવાનું વર્તન ટીપીઓ શાખાનું રાબેતા મુજબનું અગાઉના ઓડીટ અહેવાલોની જેમ આ ઓડીટ અહેવાલમાં પણ જોવા મળે છે,
ઓડીટ અહેવાલમાં દર્શાવ્યું છે કે પત્રક અન્વયે અહેવાલ વર્ષ દરમ્યાન કુલ 79 આસામીઓને ગેરકાયદેસર બાંધકામ અન્વે નોટીસ આપવામાં આવેલ પરંતુ આસામીવાઇઝ નોટીસની વિગત અને આ અન્વયે લેવાયેલ પગલાઓ સબંઘે કોઇજ વિગતવાર માહિતી રજુ ન કરાતા કોઇ રીમાર્કસ ઓડીટ વિભાગ દ્વારા આપવામાં આવ્યા નથી,તો વર્ષ દરમ્યાન બિનખેતીના મંજુર થયેલ લે-આઉટની આસામીવાઈઝ સંખ્યા, ક્ષેત્રફળ અને ભાવની વિગત અને તે અન્વયે કોમન પરપઝના પ્લોટો જે કોર્પોરેશનને મળવાપાત્ર હોય છે અન્વયે શાખા દ્વારા માહિતીનું પત્રક રજુ કરવામાં આવ્યું છે, પણ પત્રકની વિગત મુજબ અહેવાલ વર્ષ દરમ્યાન કુલ 30 લેઆઉટ મંજુર કરવામાં આવેલ રજુ કરાયેલ પત્રકમાં ભાવ અંગે કોઇ વિગત રજુ કરાયેલ નહિ જે આશ્ચર્ય પમાડનારું છે,
તો વર્ષ દરમ્યાન રજાચીઠી અન્વયે કમ્પલીશન સર્ટી લીધેલ ન હોય અને બાંધકામ કરી લીધેલ હોય, જેની માહિતી હા. ટેકસ શાખાને મોકલવામાં આવે છે તેવા આસામીઓની વોર્ડવાઈઝ માહિતી અન્વયે શાખા દ્વારા કંમ્પલીશન સર્ટી નિયમોનુસાર ઇસ્યુ કરવામાં આવેલ છે ? જેની માહિતી હા. ટેકસ શાખાને મોકલી આપવામાં આવેલ છે ? જેની વિરૂધ્ધ ભળતા જવાબ કરી દરેક અહેવાલમાં આ બાબતને ગંભીરતાથી ન લઇ ઉપેક્ષા કરી ઓડીટવિભાગને કોઇ જ માહિતી રજુ કરવામાં આવતી નથી. ખરેખર માગવામાં આવેલ માહિતી રજાચીઠી અન્વે કમ્પલીશન સર્ટી મેળવ્યા વગર જ બાંધકામ કરી લેવાયેલ હોય તેની માહિતીને બદલે ઇસ્યુ કરાયેલ કમ્પલીશન સર્ટીની ભળતી માહિતીનો જવાબ ફરી અત્રે કોઈ જ માહિત રજુ કરાયેલ નથી. દરેક ઓડીટ અહેવાલમાં આ પારાની માહિતી રજુ ન થતા વારંવાર ધ્યાન દોરવામાં આવે છે. છતા આ અંગે કોઇ ગંભીરતાથી ધ્યાને લેવામાં આવતું નથી તેમ જણાય છે. આવું સ્પષ્ટ ઓડીટ શાખા લખી આપે તો પણ મનપાની ટીપીઓ શાખા એમ દાદ આપે ખરા..?
આ મુદો કેટલાંય પાછલા વર્ષોના ઓડીટમાં જોવા મળે છે. તેનો જવાબ ટીપીઓ શાખા આપવામાં અસક્ષમ તો ઓડીટ વિભાગ લેવામાં સસક્ષમ હોય તેમ લાગે છે. તો ટીપીઓ શાખા દ્વારા રજુ કરવામાં આવેલ પત્રકની વિગત મુજબ અહેવાલ વર્ષ દરમ્યાન કુલ 79 આસામીઓને ગેરકાયદેસર બાંધકામ અન્વયે નોટીસ આપવામાં આવેલ. આસામીઓને 260-1 અને 260-2 અન્વયે નોટીસ આપવામાં આવેલ ત્યારબાદ આ અંગે શું કાર્યવાહી કરવામાં આવેલ જે કરાયેલ અમલવારી અન્વે આધાર સહ ઓડીટે ખરાઇ કરાવવાની રહેશે.પણ આ શાખાને તો એવું છે કે ઓડીટ વિભાગ લખ્યા કરે આપણે જવાબ થોડા આપવાના હોય અને આ પ્રણાલી વર્ષોથી ચાલતી આવતી હોય તેમ ઓડીટ અહેવાલો પર નજર કરતા લાગે છે.