Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનની અમુક બ્રાંચના અમુક સ્ટાફને બહારના વચેટીયા (સરકારે કહ્યુ છે વચેટીયા ન જોઇએ…પણ “આપણા” વતી ઉઘરાવી દે તો એવો ગોલો ક્યાથી મળે? તેમ અમુક કર્મચારી વિચારે છે) તેવો સાથે કોને ખબર શુ નાતો છે કે કોર્પોરેશનનુ હિત અહિત કઇ નહી જોવાનુ બસ આંખો મીચી સૌનો વિકાસ કરવાનો…હદ કહેવાય…આ કાર્યરિતીઓ કરનાર બ્રાંચમા મોખરે છે, TPO જ્યા બાંધકામ મંજુરી મળે છે જેમા નિયમાનુસાર ઘણુ સબમીટ કરવાનુ હોય પરંતુ દલાલને કહી કર્મચારી ઘણી વખત આખી ફાઇલ સોંપી દે છે…પછી વાંધા અરજી થાય..પછી ઘણુ બધુ થાય ને મેળ પડી જાય તો બખ્ખા થઇ જાય છે..તેમ કોર્પોરેશનના વર્તુળોમા ચર્ચા છે,
એક અગત્યની બાબત વ્યુઅર્સને જણાવીએ તો સરકારી કચેરીમા કામ સિવાય બેસવુ એ કાયદાભંગ સમાન છે દંડ અને સજા થઇ શકે છે થોડા સમય પહેલા ટાઉન પ્લાનીંગ શાખાના અમુક પ્રમાણીક કર્મચારીઓએ ઉચ્ચ અધીકારીઓ સમક્ષ સમગ્ર દલાલી મામલો રજુ કર્યો અને વેદના પણ કહી એ અધીકારીઓએ કમીશનરને જાણ કરી કમીશનર ગંભીરતા પામી ગયા દરખાસ્ત કરી કલેક્ટરને કે અમારી અમુક બ્રાંચમા એજન્ટ ટાઇપના વચેટીયા બેસે છે કામ ખોરંભે ચડાવે છે વગેરે તો કલેક્ટર સાયબે પણ ગંભીરતા લીધીને જાહેતનામુ બહાર પાડી આવી પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મુક્યો હતો,
આ ગંભીર ઘટનાક્રમ છતા હજુ મનપાની TPO બ્રાંચને મેલીમુરાદ વાળા અડીંગાબાજ હજુ અભડાવે છે તો કર્મચારી વતી લાંચ લેવાનો ગુનો પણ બને અને એસીબીની વોચ નહી હોય ને? તે પણ સવાલ વચ્ચે ચોક્કસ બહારના તત્વો કચેરી કામકાજમા વિક્ષેપ કરે છે અને ગેરકાયદેસર બાંધકામ વિરૂદ્ધ અરજી કરી નોટીસ અપાવે જો અરજદાર “મંડાય જાય તો…સૌનો.વિકાસ…” નહીતો લીગલ એક્શન લેવાય હો ભાઇ….આ કેવુ મજાનુ વળી પરંતુ અઢળક સોદાના ભાગીદારોના નામોના પર્દાફાશ થાય તો નવાઇ નહી તેમ સુત્રો કહે છે,
ત્યા વળી બીજી સનસનીખેજ બાબત એ સામે આવી કે બાંધકામ મંજુરી નામંજુરી પાડતોડ નોટીસ વગેરે ખેલમા “એજન્ટ” દલાલોને બખ્ખા છે, સ્ટાફ કરતા પણ વહેલા આવી કામે લાગી જાય છે, ને ઉંદરની જેમ ઘોર ખોદે છે તેનો ખાનગી રીપોર્ટ બન્યો છે……જો કે સાચુ તો રિપોર્ટ બનાવનાર જાણતા હોય ને? તો અમુક ત્રાસી ગયેલ સ્ટાફ વેદનાથી કહે છે કે “ટાઢે પાણીએ ખસ જાય એવુ કઇક કોક કરોને ભાઇસાબ તો અમારે શાંતિ થઇ જાય…..આ વિટંબણા અંગે ખરાઇ કરવામા આવી રહી છે
-ગેલેક્સી ટોકીઝ પાસેનુ બાંધકામ…..લેભાગુ દલાલો માટે કમાણીનુ જાણે “હબ”,. લાખો ઓળવાયાની ચર્ચાથી ચકચાર,. તપાસ તો કરો ACB ને કોઇએ સચોટ બાતમી તો નથી આપી દીધીને?
જામનગરમા અમુક બાંધકામ જાણે કમાવાનુ હબ અમુક લેભાગુ લાંચીયા દલાલ માટે હોય છે, એવુ જ આ ગેલેક્સી ટોકીઝ પાસેનુ બાંધકામનુ છે હવે ખેલ જુઓ ” છાસની ના પાડુ તો હુ પાડુ….” એટલે કોને ખબર કેમ બે વર્ષ પહેલા અહી પંદર દુકાનો અનઅધીકૃત બાંધેલી હોય ડીમોલીશન કરાયુ તે વખતે ખુબ મલાઇ ખાનારાઓના અંગત અંગત જાણીતા નામ છે…છતાય દુકાનો તો તોડી પડાઇ લે બોલ….
આ જગ્યાના ટાઇટલ અંગે તો હજુ કઇ બહાર આવ્યુ જ નથી…! જગ્યાના માલીક કોણ છે? એ બધુ તો ઠીક હવે કોક દલાલ જાગ્યાને દલાલી લીધી હવે દુકાન નહી પડે બાંધકામ કરો તમ તમારે….કેમકે TPO બ્રાંચ હુ જ ચલાવુ છુ જલસા કરો….એમ કહી કોક બહુ મોટી હા બહુ મોટી રકમ હજુ લાવ્યાને બહુ દિવસ નથી થયા ત્યા તો કોને ખબર આ દલાલની દલાલી ન ગમી કે ગમે તે કારણ હોય ફરીથી દુકાનો તોડી પાડવાનો આખરી હુકમ થય ગયો છે.
હવે દલાલે રૂપીયા પાછા દેવા પડશે ને? આવા બીજાય કિસ્સા છે તેમાય પાછા દેવા પડશે? દુકાનો માટે રક્ષાવચન આપવા છતાય દુકાનો તો તુટવાની નહિતર કોર્પોરેશનના આખમીચામણાનો મામલો સરકારમા જશે ને સરકાર તો રાહ જ જુએ છે કે દલાલ સંચાલીત શાખાઓ ઉપર ત્રાટકો ભાઇ ત્રાટકો, અને આવું જ નજીકના દિવસોમાં ટીપીઓ બ્રાન્ચમાં પણ કઈક થશે તેમ જાણકાર સુત્રો કહે છે.