Mysamachar.in-જામનગર
ઓડીટ એટલે જે તે સંસ્થાનો દેખાઈ આવતો સ્પષ્ટ અરીસો છે, ભલે આ અરીસાની પાછળ કેટલાક છિદ્રો ચોક્કસ હોય છે, એવામાં લોકલ ફંડ ઓડીટ કચેરી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું થવું જોઈતું અને સમયસર ઓડીટ નથી થતું, (હા સ્ટાફની ઘટ તેના માટે મુખ્ય જવાબદાર છે, એટલે વર્ષોના વર્ષો સુધી જુના વર્ષોનું ઓડીટ ચાલ્યું આવે છે) હાલ 2021 નું વર્ષ ચાલી રહ્યું છે પણ લોકલ ફંડ ઓડીટ કચેરી દ્વારા હજુ તો વર્ષ 17/18નું ઓડીટ ચાલી રહ્યું હોવાનું સુત્રોને હવાલેથી જાણવા મળે છે,
અરે આ તો આટલા વર્ષો પહેલાનું કામ ચાલી રહ્યું છે પણ હજુ તો કેટલાય વર્ષો બાકી છે જેનું ઓડીટ થવાનું બાકી છે.લોકલ ફંડ ઓડીટ અને મનપાના પોતાના ઓડીટ વિભાગ દ્વારા કેટલીય શાખાઓના પેરા/ફકરા કાઢવામાં આવે છે, (સ્થાનિક ઓડીટ બ્રાંચ દ્વારા કાઢવા ખાતર) પણ ચતુર અધિકારીઓ અને શાખાઓ ઓડીટના પેરાઓની પૂર્તતા ના કરવી અથવા તો ગોળ ગોળ જવાબ આપી ટાળી દેવું તેવી આવડત ધરાવે છે,તેમ ઓડીટ વિભાગના સુત્રો કહે છે, મોટાભાગના પેરાઓનો કોઈ જવાબ અધિકારીઓ કે જે તે શાખા દ્વારા સ્થાનિક ઓડીટ વિભાગ કે લોકલ ફંડ ઓડીટને આપવામાં આવતો નથી, અને તેના કારણે વહીવટ અપારદર્શક બની જાય છે. ક્યાં કેટલો ખર્ચ શું ગેરરીતિઓ વગેરે થવું જોઈંતું ઉજાગર થતું નથી, ત્યારે હવે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ આ અંગે લગત શાખા અને વિભાગો પાસેથી ઓડીટના પેરા અંગેની પૂર્તતા કરાવે તે પણ જરૂરી છે.