Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સાવચેતીના પગલાના ભાગરૂપે લોકોને અપીલ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગ બોર્ડ બેનર દૂર કરવાની કામગીરી પૂર્ણતાંના આરે છે. મોબાઈલ કંપનીના ટાવરોની સલામતી માટે જરૂરી પગલાં લેવા પર ટાવર કંપનીને ટકોર કરવામાં આવી છે. બીજી બાજુ ભયાનક વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી સતત ચાલુ છે. જેમાં ભયજનક મકાનોના સર્વેની કામગીરી પૂર્ણ ભયજનક મકાન માલિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી દેવામાં આવી છે ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારો માટે 28 પ્રાથમિક શાળાઓમાં આશ્રયસ્થાન વ્યવસ્થા કાર્યરત કર્યા છે.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામતી રીતે ખસી જવા માઇક દ્વારા સતત સૂચના અપાઈ રહી છે, જેમાં દરેક વોર્ડ વાઇસ તાંત્રિક અધિકારીની આપાતકાલીન વ્યવસ્થા માટે નિમણૂક અને અમલવારી કરવા જણાવ્યું છે. શહેરના 12 upsc ઈમરજન્સી સેવા માટે 24 x 7 પ્રાથમિક આરોગ્ય સેવા માટે ઉપલબ્ધ રહેશે. જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલરૂમ મોબાઈલ નંબર 9909011502, ફાયર શાખાના કંટ્રોલરૂમ નંબર 0288 2672208, આરોગ્ય વિભાગ કંટ્રોલરૂમ નંબર 9909011502 – 9512023431 – 32 જાહેર કર્યા છે.
વીજપુરવઠો ખોરવાઈ જાય તેવા સંજોગોમાં શહેરની હોસ્પિટલો ખાતે વૈકલ્પિક પાવર સપ્લાય માટે પાવર બેંકની વ્યવસ્થા અને ઈમરજન્સી સેવા માટેની 50 જવાનો તથા એસબીની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મિચ્યુઅલ એઇડ સ્કીમ સર્વિસ હેઠળ સ્થાનિક રિલાયન્સ ,ન્યારા એજન્સી એસ્સાર પાવર ,ભારત-ઓમાન રીફાઈનરી, જીએસએફસી, ગુજરાત ગેસ,ડિસીસી વગેરે સાથે જરૂરી સંકલન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ આરમિ વિભાગને વિભાગ એરપોર્ટ વિભાગને કટોકટીના સંજોગો માટે મદદ માટે સંકલન કરાયું છે. જ્યારે જામનગર શહેરી વિસ્તારમાં આપો તે સંજોગોમાં એક એનડીઆરએફની ટીમ તેનાત પીજીવીસીએલ, ઝટકો સાથે પાવર સપ્લાય સંબંધે જરૂરી સંકલન કર્યું છે.
જાહેર જનતા માટે ખાસ અપીલ કરવામાં આવીતા.17 થી બપોર બાદ ઘરમાંથી આવશ્યક ઇમર્જન્સી ની કામગીરી સિવાય બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે. જ્યાં સુધી વાવાઝોડાની અસર પૂર્ણ ન થાય ત્યાં સુધી સલામતી માટે ઘરમાં જ રહેવું. આગામી બે-ત્રણ દિવસ માટે ઘર માટે જરૂરી આવશ્યક કરિયાણું ,શાકભાજી સંગ્રહ કરી લેવા વિનંતી. વીજળી ડૂલ થવાના કિસ્સામાં ઘરે ટોચ બત્તી, માચીસ વગેરે રાખવી.