Mysamachar.in-જામનગર
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને મળેલ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 60 વર્ષથી વધુ વયના, ત્રણ વખત કોર્પોરેટર રહી ચુક્યા હોય તે ઉપરાંત નેતાઓના સગાસબંધીઓને ટીકીટ આપવામાં આવશે નહિ, ત્યાર બાદ આવી કેટેગરીમાં આવતા દાવેદારોમાં આંતરિક ગણગણાટ શરુ થયો છે, આ તમામ વચ્ચે જામનગર મનપાના વોર્ડ નંબર 11 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર જશરાજ પરમારે પક્ષના નિર્ણયને આવકારતા કહ્યું કે આ નિર્ણય સારો છે, પણ અમુકની માનસિકતા હોય વિરોધ કરતા હોય મને તો ઘણાય પક્ષોના ફોન આવ્યા પણ હું પક્ષને વફાદાર છું, અને રહીશ… જયારે તેમને પૂછવામાં આવ્યું કે ક્યાં પક્ષે તમને ઓફર કરી તો તેને કહ્યું કે બસપા, એનસીપી, કોંગ્રેસ સહીતના પક્ષોમાંથી મને ઓફર છે, પણ હું કોઈમાંથી નહિ લડું અને પક્ષને વફાદાર રહીશ.