Mysamachar.in-જામનગર
સ્થાનિક સુવિધા મળે તે માટે સ્થાનિક સ્વરાજ્ય હોય છે પરંતુ તેના બદલે જો ચુંટાયેલા સ્વ વિકાસમા લાગી જાય તો લોકોનુ શુ થાય? માટે ભાજપ મોવડી મંડળે જુના પેધી ગયેલા વગેરે અનેકને તક ન આપી અને નવા ને ચાન્સ આપ્યો ત્યારે ચુંટાયેલા સૌએ એ યાદ રાખવુ પડશે કે લોકોની વચ્ચે રહેવુ પડશે તોજ પ્રજા અને પક્ષ બેયમા માન મળશે, ખરેખર આ વખતે જામનગર મનપા ચુંટણીમા ટેન્શન હતુ, ભારે સસ્પેન્સ હતુ અરે નેતાઓ અને સંગઠન પણ ચિંતિત હતુ કે આ વખતે બહુમતી તો મળશે ને તેમા વળી મતદાન ઓછુ થયુ તોય આગેવાનો આશ્વાસન લેતા હતા કે એ બધુ મતદાન ભાજપની તરફેણમા છે તો વળી સરકારી જાસુસી તંત્ર 40….42 બેઠક ભાજપને મળશે તેવુ અનુમાન કરતુ હતુ,
તેમજ મંત્રીઓ સાંસદ પુર્વ પ્રમુખ 50 બેઠકનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પોઝીટીવ માહોલ પણ બનાવ્યો હતો અને બાદમાં અભ્યાસ કરતા જ હતા જેથી ચોક્કસ તારણ નીકળી શકે, દરમ્યાન ભાજપની વિકાસની નિતિની લોકોએ લાજ રાખી લીધી કેમકે ટીકીટ ન.મળવાથી છુપા રોષ ભાજપ પક્ષમા હતો તેથી નુકસાન નહી થાય ને તે ચિંતા સૌઆગેવાનોને હતી જ માટે મતદાન બાદ પરિણામ સુધી ટેન્શન જ જળવાયુ હતુ આ દરેક બાબતોમાથી ભાજપ ઘણી શીખ લે અને જીતથી ફુલી ન જાય તે જરૂરી છે, બીજી તરફ દરેક કોર્પોરેટર કે ચુંટણી લડવા ઇચ્છનાર સૌએ લોકોની વચ્ચે જ રહેવુ પડશે અને વિરોધ પક્ષ એ ફોટા પડાવવા પુરતો નહી સાચો પરિણામવાળો અને લોકોના કામ કરવાનો ધ્યેય રાખવુ પડશે તેમપણ વિશ્લેષકોનું ગઈકાલના જામનગર મનપાના પરિણામ પરથી તારણ છે.